Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહેરામપુરા, દાણીલિમડાના વિવિધ વિસ્તારોમાં દબાણો હટાવવાની કામગિરી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોન એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા અન અધિક્રુત બાંધકામો તથા જાહેરમાર્ગ પરના દબાણો દૂર કરવાની હાથ ધરેલ ઝુંબેશના ભાગરુપે બહેરામપુરા, દાણીલિમડાના વિવિધ વિસ્તારોમાં દબાણો હટાવવાની કામગિરી કરાઈ હતી.

બહેરામપુરા વોર્ડમાં ટી.પી. સ્કીમ નં.૩૮ (દાણીલીમડા બહેરામપુર-વેસ્ટ) સેકટર-૨ માં મોજે દાણીલીમડાના રે.સ.નં.૨૨૨ (૧+૨) પૈકીમાં બેરલ માર્કેટ રોડ પર, અલહમદપાર્ક મસ્જીદ ગલી નં.૧,૨,૩ ની બાજુમાં, અકબરખાન પાર્લર પાસે આવેલ “સીમા રો હાઉસ” ના રહેણાંક પ્રકારના કુલ ૦૬ (છ) યુનિટો વાળા અંદાજીત ૩૫૦૦ ચો.ફુટ ક્ષેત્રફળ ધરાવતાં અન-અધિકૃત બાંધકામ દૂર કરાયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધી જી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ અન્વયેની કાર્યવાહી કરી આજ રોજ બ્રેકર મશીન, ગેસ કટર મશીન, જનરેટર, દબાણ ગાડી તથા ખાનગી મજુરોની મદદથી દાણીલીમડા પોલીસ સ્ટેશનના ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ તોડી પાડવામા આવી હતી. આ ઉપરાંત બાકી રહેલ અન-અધિકૃત બાંધકામને દૂર કરવાની કામગીરી આવતીકાલે દાણીલીમડા પોલીસ સ્ટેશનના પોલીસ બંદોબસ્ત હેઠળ ચાલુ રાખવામાં આવી છે.
દક્ષિણ ઝોનના જુદા જુદા જાહેરમાર્ગો તથા તેની ફુટપાથ ઉપરથી જાહેર જનતા તથા ટ્રાફીકને અવર જવરમાં નડતરરુપ ૨૯ નંગ પરચુરણ માલસામાન, લૂઝ દબાણો ગોડાઉન ખાતે જમા કરાવી જાહેરમાર્ગો ખુલ્લા કરવામાં આવ્યા છે. આવા પ્રકારના અન અધિક્રુત બાંધકામો, ટી.પી.રસ્તામાં કપાત થતાં બાંધકામો તેમજ જાહેરમાર્ગ પરના જાહેર જનતા તથા ટ્રાફીકને અવર જવરમાં નડતરરુપ દબાણો દૂર કરવાની કામગીરી આગામી દિવસોમાં ચાલુ રાખવામાં આવશે.

संबंधित पोस्ट

સુરત-સિટી બસના કારણે અકસ્માતથી ફરી એક મહિલાનું મોત, ઉમરા પોલીસે નોંધી ફરીયાદ

Admin

વડોદરા: સયાજી હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ મહિલા દર્દી રાતે અચાનક ભાગી જતા તંત્રમાં દોડધામ

Karnavati 24 News

તાલાલા પંથકનાં 4 ગામના લોકો દ્વારા મતદાન બહિષ્કાર કરાશે .

Admin

પરિક્રમાનો આજે મધ્યરાત્રીથી પ્રારંભ થાય એ પૂર્વે ત્રણેક લાખ યાત્રિકો ઉમટીયા

Admin

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

Karnavati 24 News

અવાણિયા નજીક ટ્રિપલ અકસ્માત , યુવાનનું મોત નિપજ્યું . .

Admin