Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતરાજકારણ

દરીયાઇ મહેલની સુંદરતા થશે પુૃનર્જીવિત, ફેઝ-ર માટે રૂા.૧૭ કરોડ ૩૪ લાખ મંજૂર

પોરબંદરનાં દરિયાઇ મહેલના રીનોવેશન માટે સરકારે ફેશ-રની કામગીરી માટે ૧૭ કરોડ ૩૪ લાખ ૯૦ હજારની રકમ મંજુર કરી છે. ફેશ-૧ની કામગીરી પૂર્ણ થયાં બાદ ફેશ-રની કામગીરી શરૂ કરવા માટે લાંબા સમયથી માંગ કરવામાં આવી હતી તો ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયાએ શિક્ષણ વિભાગના સચિવને રજૂઆત કરતાં ફેશ-રની કામગીરી માટે મોટી રકમ મંજૂર કરતાં ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયાએ સરકારનો આભાર વ્યકત કર્યો હતો.
પોરબંદરના મહારાણાએ શૈક્ષણિક હેતુ માટે પોતાના માતૃશ્રીની સ્મૃતિમાં દરિયામહેલ સરકારને સોંપ્યો હતો. પરંતુ તેની જાળવણીના અભાવે જર્જરીત બની ગયો હતો અને ત્યાં સરકારી બી.એડ્. અને એમ.એ. કોલેજ કાર્યરત હતી. પરંતુ જર્જરીત ઇમારતને કારણે તેનું સ્થળાંતર કરવું જરૂરી બની ગયું હતું. ત્યારે પોરબંદરની ક્નર્ઝવેટરી દ્વારા દરીયાઇ મહેલ માટે જસ્ટીસ ફોર આરજીટીની ટીમે અનેક લડત ચલાવી હતી. ત્યારબાદ પ્રથમ ફેઝમાં રૂપિયા ૭ કરોડ ૩૧ લાખ જેવી માતબર રકમ સરકારે મંજુર કરી હતી અને દોઢ વર્ષ પહેલા તેનું રિસ્ટોરેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે પુર્ણ થયા બાદ બીજા ફેઝમાં રૂપિયા ૧૭ કરોડ ૩૪ લાખ ૯૦ હજાર રૂપિયાનું ટેન્ડર ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયાની રજૂઆત બાદ બહાર પડયું છે અને આ કામગીરી ઝડપથી આગળ વધે તેવો શહેરીજનોને આશાવાદ જણાઈ રહ્યો છે.

संबंधित पोस्ट

 વાઈબ્રન્ટ મહોત્સવ ફાઈનલ : તા. 10ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે

Karnavati 24 News

નિર્મળતા નિર્ણાયકતાનો સમન્વય ધરાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેવૃત્વમાં ગુજરાત સરકારને આજે એક વર્ષ પુરૂં થયું છે

Karnavati 24 News

વીજ ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં નંબર-1 છે, ડબલ એંજિનની સરકારથી સૌને ફાયદો થઈ રહ્યો છે- મંત્રી કનુભાઈ દેસાઇ

Karnavati 24 News

સ્મૃતિ ઈરાનીની દીકરી પર ગોવામાં ગેરકાયદેસર બાર ચલાવવાનો આરોપ, કોંગ્રેસે કહ્યું- આ ‘તુલસી સંસ્કારી બાર’ નથી

Karnavati 24 News

 દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-૧૯ ને લઇને એક પત્રકાર પરિષદ

Karnavati 24 News

લીઝ ટ્રસ બન્યા બ્રિટનના નવા વડાપ્રધાન,  લીઝ ટ્રસની આવતીકાલે થશે શપથવિધિ