Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સુરત – સરકારી અનાજની કાળાબજારી કરનાર સામે કાર્યવાહી, 5 મહિના પછી બેની ધરપકડ

સરકારી અનાજની કાળા બજારીના કેસમાં કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.  કાળા બજારી કરતા બે ભાઈઓ સુનિલ અને મેહુલની 5 મહિના પછી ધરપકડ કરવામાં આવી.

સુરતમાં અગાઉ પણ આ પ્રકારે કાળાબજારી સામે આવી હતી.  ટોળકીઓ દ્વારા સચીન સરકારી અનાજના ગોડાઉનના નામે ખોટા ડિલિવરી ચલણો, બિલો બનાવી, ખોટા હિસાબો બતાવીને વ્યાજબી ભાવની દુકાનોના પરવાનેદારોને મળવાપાત્ર જથ્થો પુરેપુરો મળ્યો હોવાનુ બહાર આવ્યું હતું. 

સરકારી અનાજની કાળા બજારીના કેસમાં બન્ને ભાઈઓ સામે કરોડોનું અનાજ સગેવગે કરી કાળાબજારમાં વેચી મારવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. બન્ને આરોપીઓ સામે ઓક્ટોબરમાં કેસ દાખલ થયો હતો. ગોડાઉનના અન્ય મેનેજર તેમજ સાગરિતો પાસેથી અનાજ તેઓ ખરીદતા હતા. સસ્તા ભાવે અનાજ લઈને અનાજની ગુણો તેઓ બદલી નાખતા હતા. 

અગાઉ સુરત ખાતે સચીન વિસ્તારમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી રોજ ઘઉંના ૪૫૦ કટ્ટા તથા MDM ફોર્ટીફાઈડ ચોખાના ૯૫૦ કટ્ટા સાથે ત્રણ ટ્રકો મળી કુલ રૂ.૩,૮૭,૫૦૦ના મુદ્દામાલ પકડાયો હતો.  

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજ્ય સરકાર દ્રારા ગરીબ તથા જરૂરીયાતમંદ લોકોને મફત તેમજ રાહતદરે આપવામાં આવતા અનાજને સગેવગે કરવાના બહાર આવેલા કૌભાંડને ગંભીરતાથી લઇ સુરત શહેર પોલીસ કમિશનરને આ કેસની બારીકાઇથી તપાસ કરવા અને કૌભાંડમા સંડોવાયેલા પ્રત્યેક ગુનેગારોને પકડી કડક કાર્યવાહી કરવા સુચના આપી હતી. ત્યારે આ મામલાની ગંભીરતાને જોતા અનાજની કાળા બજારી કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

संबंधित पोस्ट

યોગમય ગુજરાત અંતર્ગત જૂનાગઢમાં બે દિવસ યોગ શિબિર

Karnavati 24 News

શિયાળાની ઋતુમાં વલસાડ જિલ્લામાં માછીમારો માટે દરિયો ખેડવો મુશ્કેલ બન્યો, ઉત્પાદન ઘટ્યું

Karnavati 24 News

કોરોનાથી મૃત્‍યુ પામનાર વ્‍યક્‍તિના પરિવારજનોને રૂ. ૪ લાખની સહાય ડીઝાસ્‍ટર ફંડમાંથી ચૂકવે તેવી કોંગ્રેસની માંગણી

Karnavati 24 News

વેરાવળ પૂર્વ ધારાસભ્ય જસાભાઈ બારોટે દિનદયાળ ઉપાધ્યાયની પૃણ્યતિથિ પર વંદન કર્યા

Karnavati 24 News

ગારીયાધાર ના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી મહુવા માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ઉપસ્થિત

Karnavati 24 News

ક્રિકેટર રોહિત શર્માએ મુંબઈમાં 2 એપાર્ટમેન્ટ આપ્યા ભાડે, દર મહિને ₹2.5 લાખનું આવશે ભાડું

Admin