Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

સુરત-સિટી બસના કારણે અકસ્માતથી ફરી એક મહિલાનું મોત, ઉમરા પોલીસે નોંધી ફરીયાદ

ટુ વ્હિલર લઈને આવતી મહિલાને સિટી બસે ટક્કર મારતા મહિલાનું મોત નિપજ્યું છે. આ મામલે ઉમરા પોલીસે ગુનો નોંધ્યો છે. સુરત સિટી બસના કારણે ફરીથી એક વ્યક્તિનો જીવ ગયો છે. વારંવાર સિટી બસના કારણે અકસ્માતના બનાવો બની રહ્યા છે. ત્યારે બેદરકારી પૂર્વક બસ ચાલકો બસો ચલાવે છે.

ઉમરા વિસ્તારમાં પાર્લે પોઈન્ટ નજીક જ્યારે મહિલા અને તેમની પૂત્રી ટૂ વ્હિલર પર જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. અગાઉ સિટી બસના કારણ જૈન સાધ્વીજીને ટક્કર વાગતા પણ તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવો શહેરભરમાં વધી રહ્યા છે. ત્યારે આ બનાવોમાં કરુણ મોત નિર્દોશ લોકોના થઈ રહ્યા છે. સુરત તેમજ અમદાવાદ સહીતના વિવિધ મોટા શહેરોની અંદર સિટી બસના કારણે  અકસ્માતની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. ગમખ્વાર રીતે શહેરમાં મોટી સંખ્યામાં વાહન ચાલકોની વચ્ચે સિટી બસો ચાલે છે.

સુરતમાં ફરી આ પ્રકારે ઘટના સામે આવી હતી જેમાં મહિલાનું મોત નિપજતા  પરીવારજનોમાં પણ શોકનો માહોલ છવાયો છે. માતા પુત્રી જ્યારે ટુ વ્હિલર પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક સિટી બસ સામે આવી હતી અને તેના કારણે મોત માતાનું મોત નિપજ્યું હતું. અકસ્માતની ઘટનાઓને કાબુમાં લેવા માટે તંત્રએ પણ આ મામલે દરકાર લઈને કોઈ જરૂરી ઠોસ નિર્ણય લેવા જોઈએ.

संबंधित पोस्ट

અવાણિયા નજીક ટ્રિપલ અકસ્માત , યુવાનનું મોત નિપજ્યું . .

Admin

અમરેલીમાં પોસ્ટલ વિભાગ વિદેશી મોકલાતા પાર્સલ ઘર બેઠા કલેકશન કરશે

Karnavati 24 News

પરિક્રમાનો આજે મધ્યરાત્રીથી પ્રારંભ થાય એ પૂર્વે ત્રણેક લાખ યાત્રિકો ઉમટીયા

Admin

ગુજરાત ચૂંટણી પર પીએમ મોદીએ માન્યો કાર્યકર્તાઓનો આભાર, કહ્યા પાર્ટીની વાસ્તવિક તાકાત

Admin

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ આદર્શ આચારસંહિતા અમલી બની .

Admin

સુરત: પાલ ઉમરા બ્રિજ પર સર્જાયો ભયાવહ અકસ્માત, બાઇકસવાર બે યુવક ડિવાઇડર સાથે અથડાઈ 3 ફૂટ હવામાં ફંગોળાયા, પછી 15 ફૂટ નીચે પટકાયા, એકનું મોતસુરત: પાલ ઉમરા બ્રિજ પર સર્જાયો ભયાવહ અકસ્માત, બાઇકસવાર બે યુવક ડિવાઇડર સાથે અથડાઈ 3 ફૂટ હવામાં ફંગોળાયા, પછી 15 ફૂટ નીચે પટકાયા, એકનું મોત

Karnavati 24 News