Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

રાજકોટના મુસાફરો માટે ખરાબ સમાચાર: બયાના સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગનાં કામના કારણે રાજકોટની ઘણી ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરાયા

રાજકોટના મુસાફરોને હજી થોડી રાહ જોવી પડશે છેલ્લા કેટલાક સમયથી ડબલ ટ્રેકનાં કામને કારણે રાજકોટથી જતી ઘણી ટ્રેનો બંધ રહી હતી ત્યારે ફરી વાર બયાના સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગનાં કામના કારણે રાજકોટ રૂટ પર ચાલતી ટ્રેનો ડાયવર્ટ કરાઇ છે. પશ્ચિમ મધ્ય રેલવેના બયાના સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પાંચ ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર, ડાયવર્ટ કરેલા રૂટ પર દોડનારી ટ્રેનો:ઓખાથી ઉપડનારી ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ, 25-ર ના રોજ ગાંધીધામથી ઉપડનારી ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ અને 22.2 ના રોજ કામખ્યા થી ઉપડનારી કામાખ્યા-ગાંધીધામ એક્સ્પ્રેસ તેના રેગ્યુલર રૂટ વાયા બયાના-આગ્રાફોર્ટ ના બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા બયાના-ભરતપુર-અછનેરા થઈને ચાલશે.23.2ના રોજ ઓખાથી ઉપડનારી ઓખા-બનારસ એક્સપ્રેસ અને 25.2 ના રોજ બનારસ થી ઉપડનારી બનારસ-ઓખા એક્સપ્રેસ તેના રેગ્યુલર રૂટ વાયા નાગદા-કોટા-બયાના-આગરાફોર્ટ-કાનપુર ના બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા નાગદા-સંત હિરદારામ નગર-નિશાતપુરા-બીના-વીરાંગના લક્ષ્મીબાઈ-કાનપુર થઈને ચાલશે.રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

संबंधित पोस्ट

दिल्ली में पारा 5.5 डिग्री सेल्सियस पहुंचा, जानें मौसम और प्रदूषण का पूरा हाल

Admin

ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાના સ્વ- સહાયજુથ માટેના ‘કેશ ક્રેડિટ કેમ્પ’ ને રાજય શિક્ષણ મંત્રીના હસ્તે ખુલ્લો મુકાયો

Admin

मध्यप्रदेश: भोपाल, इंदौर समेत कई जिलों में ठंड का कहर जारी, इस जिलें में हार्ट अटैक से हुई 5 की मौत

Admin

પાકિસ્તાનનું ડ્રોન ષડયંત્ર ફરી નિષ્ફળ, BSFએ જપ્ત કર્યો હથિયારોનો મોટો કન્સાઈનમેન્ટ

Admin

રાજકોટ મનપાની અદભુત કામગીરી: ૨૯૧ રખડતા પશુ ડબે પુરાયા, લોકોમાં હાશકારો

Admin

કોરોના અંગે ગુજરાત સરકારની માર્ગદર્શિકાની જાહેરાત, માસ્ક ફરજિયાત બનાવવા અંગે શું કહ્યું જુઓ. .

Admin