Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

સુરત: સુરતના સરદારબ્રિજ પરથી યુવતીએ લગાવી મોતની છલાંગ, સ્થાનિક તરવૈયાઓએ બચાવી

શનિવારે સુરતમાં આવેલા સરદાર બ્રિજ પરથી 19 વર્ષીય યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. જોકે ઘટના સ્થળ પર હાજર લોકોએ યુવતીને બચાવી લીધી હતી. લોકોએ ફાયર વિભાગને જાણ કરતા ટીમે ત્યાં આવી યુવતીને 108માં હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાઈ હતી. આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસે યુવતીના આત્મહત્યાના પ્રયાસ પાછળનું કારણ શોધવા તપાસ હાથ ધરી છે.

માહિતી મુજબ, શનિવારે સુરતના સરદારબ્રિજ પરથી એક 19 વર્ષીય યુવતીએ તાપી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે યુવતીને છલાંગ લગાવતા જોઈ કેટલાક સ્થાનિક લોકો નદીના તટે પહોંચ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ તાપી નદીમાં કૂદી યુવતીનો આબાદ બચાવ કર્યો હતો. ત્યાર બાદ સ્થાનિક લોકોએ ફાયરની ટીમને પણ જાણ કરી હતી. આથી ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી હતી અને યુવતીને 108 એમ્બ્યુલન્સના મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી.

આત્મહત્યાનું કારણ અકબંધ

જોકે યુવતીએ ક્યાં કારણોસર નદીમાં છલાંગ લગાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે આ અંગે સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં યુવતી ઉમરવાડા વિસ્તારની રહેવાસી હોવાનું સામે આવ્યું છે.  યુવતી હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

संबंधित पोस्ट

भ्रष्टाचार में फंसे पूर्व डीएफओ किशन चंद की गिरफ्तारी को विजिलेंस ने डाला डेरा।

Admin

અમદાવાદ: ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે મહાઠગ કિરણ પટેલને શ્રીનગરથી અમદાવાદ લવાશે, પત્ની માલિનીને પણ કોર્ટમાં રજૂ કરાશે!

Admin

રાજસ્થાન: બીજેપી નેતાના પુત્રની હત્યા, ગળું દબાવી, ગોળી મારી અને જંગલમાં સળગાવી દીધી લાશ

Admin

હૈદરાબાદમાં ડ્રગ્સના કારોબાર પર કસાયો સકંજો, 200 કિલો ગાંજો જપ્ત, 3 લોકોની ધરપકડ

Karnavati 24 News

રાજુલા પોલીસે રેઢા આરોપીને અલગ અલગ જિલ્લાઓમાં ચોરી કરનાર ઈસમોને ઝડપી કાર્યવાહી કરી

Admin

एमपी के खंडवा कोर्ट का बड़ा फैसला,40 आरोपियों को 7-7 साल की सजा।

Admin