Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

પ્રેમ લગ્ન કરતા યુવતીના પરિવારજનોએ ખાર રાખી યુવતીનું કર્યું અપહરણ: યુવકે સસરા સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી

રાજકોટ નજીકના નવાગામના દીવેલીયાપરા વિસ્તારમાં રહેતા અને થોડા સમય પહેલા જ કોર્ટમાં પ્રેમ લગ્ન કરનાર યુવકની પત્નીને તેના પરિવારજનો પ્રેમ લગ્ન કર્યાનો ખાર રાખી અપહરણ કરી ગયા હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે તેના સસરા સહિત ચાર સામે ગુનો નોંધી તેઓની શોધખોળ શરૂ કરી છે. પોતાની ફરિયાદમાં જયંતી ધીરાભાઈ સેજુ (ઉ.વ.24) એ જણાવ્યું છે કે તેણે વકતા ગમનાભાઈ સોલંકીની પુત્રી મમતા (ઉ.વ.18) સાથે 15 દિવસ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા. બાદમાં તેની સાથે નવાગામના દીવેલીયાપરામાં રહેવા આવ્યો હતો. પાંચેક દિવસ બાદ થરાદ પોલીસ તેને અને પત્નીને લઈ ગઈ હતી. બંનેના નિવેદનો લઈ છોડી મુકયા હતા. ગઈ તા.29 ના રોજ તે પત્ની સાથે ઘરે હતો ત્યારે તેનો સસરો વકતા અન્ય ત્રણ શખ્સો સાથે તેના મકાનમાં ધસી આવ્યો હતો. એટલુ જ નહી તેને બેફામ ગાળો ભાંડી માર માર્યો હતો. તેની પત્નીને મારકુટ કરતા કરતા મકાનના ગ્રાઉન્ડ ફલોર ઉપર લઈ ગયા બાદ તેને મારી નાખવાની ધમકી આપી તેની પત્નીના વાળ પકડીને પોતાની સાથે આવેલી કારમાં બળજબરીપૂર્વક બેસાડી લઈ ગયા હતા. જે અંગે તેણે કુવાડવા રોડ પોલીસમાં અરજી આપી હતી. ત્યારબાદ તેના પક્ષ તરફથી સમજાવટ શરૂ કરાઈ હતી. તેના પક્ષે પત્ની મમતાને તેના સસરા પરત મોકલી આપે તેમ કહેવડાવાયું હતું. પરંતુ તેના સસરાએ તેની પત્નીને પરત નહી મોકલતા અંતે ચાર સામે પોલીસે અપહરણની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

संबंधित पोस्ट

ગોંડલમાં આવેલ ફાટક આઇસર ચાલકે તોડ્યું: ટ્રેન સમયે રોકી દેવાતા જાનહાનિ ટળી, આઇસર ચાલકની શોધખોળ હાથ ધરાઇ

Admin

महाराष्ट्र: मुबंई में निलंबित आयकर अधिकारी पर मामला दर्ज, 48 लाख रुपये की ठगी का आरोप

Admin

महाराष्ट्र: मुंबई के कुर्ला इलाके की इमारत में लगी भीषण आग, 70 वर्षीय महिला की मौत

Admin

અજમેર શરીફના ઉર્ષમાં ભાગ લેવા ગયેલા અમરેલીના બે યુવાનનું અકસ્માતમાં મોત

Admin

तुनिषा शर्मा खुदकुशी मामला : अदालत में पुलिस ने कहा- “जांच में सहयोग नहीं कर रहा शीज़ान खान”

Admin

પાટણનાં મોતિશામાં જવેલર્સ-કરિયાણાની દુકાનમાંથી ચોરી કરનારા ત્રણ સહિત ચાર ઝડપાયા

Admin