Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

અજમેર શરીફના ઉર્ષમાં ભાગ લેવા ગયેલા અમરેલીના બે યુવાનનું અકસ્માતમાં મોત

અજમેર શરીફના ઉર્ષમાં ભાગ લેવા ગયેલા અમરેલીના બે યુવાનનું અકસ્માતમાં મોત

અમરેલીમા ચાંદની ચોકમા રહેતા અલ્તાફભાઇ બાબુભાઇ નગરીયા પોતાના મિત્રો સાથે કાર લઇ ઉર્ષ શરીફમા ભાગ લેવા અજમેર ગયા હતા. અને અજમેરથી પરત ફરતી વખતે પાલી નજીક તેમની કાર સાથે સામેથી રોંગ સાઇડમા આવી રહેલી કારના ચાલકે અકસ્માત સર્જયો હતો. આ ઘટનામા અલ્તાફભાઇ નગરીયાનુ મોત થયુ હતુ. જયારે તેમની સાથે રહેલા જાવિદભાઇ કરીમભાઇ ચૌહાણ અને સરફરાઝભાઇ કાળુભાઇ બિલખીયાને ઇજા પહોંચી હતી. મૃતક અલ્તાફભાઇને સંતાનમા એક દીકરો અને એક દીકરી હોવાનુ જાણવા મળેલ છે.

અકસ્માતની અન્ય એક ઘટનામા અમરેલીના શકીલ સલીમભાઇ મકવાણા (ઉ.વ.18) નામના યુવકનુ મોત થયુ હતુ. આ યુવક પોતાના સગા ભાઇ અને માસીના દીકરા સાથે કાર લઇ અજમેર જવા નીકળ્યો હતો. પરંતુ આબુ રોડ નજીક સવારના સમયે ગાઢ ધુમ્મસ હોય તેની કાર ડિવાઇડર સાથે અથડાઇ ચાર ગોથા ખાઇ ગઇ હતી. શકીલ કારમાથી બહાર ફેંકાઇ જતા ગંભીર ઇજાથી તેનુ મોત થયુ હતુ. જયારે તેના સગા ભાઇ અને માસીયાઇ ભાઇ સહિત ત્રણને ઇજા પહોંચી હતી. બંને યુવાનોની અમરેલીમા દફનવિધી કરાઇ હતી.

संबंधित पोस्ट

बिहार में 12 हत्याओं का आरोपी लखनऊ के विभूतिखंड इलाके से गिरफ्तार

Admin

धनबाद: ATM का कैश बॉक्स लेकर अपराधी फरार, 10 लाख से ज्यादा की चोरी का अनुमान..

Admin

દમણમાં બાઇક, મોબાઈલ લૂંટી ફરાર થઈ જનાર આરોપીઓને પોલીસે દબોચી લીધા

Admin

आगरा : अग्निवीर भर्ती के लिए आए युवक के फेक एनकाउंटर में फंसी आगरा पुलिस,FIR दर्ज़

Karnavati 24 News

पन्ना मध्य प्रदेश। मोदी की हत्या की बात कहने वाला कांग्रेस नेता गिरफ्तार।

Admin

બોટાદ ના યુવા નને બે શખ્સ પાઈપ ફટકાર્યા હતા .

Admin