Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

વડોદરામાં પરીવારની સામૂહીક આત્મહત્યા, પતિ પત્ની બાળકને મારી ખૂદ મરી ગયા, દિવાલ પર લખ્યું કારણ

વડોદરામાં સામૂહીત આત્મહત્યાની ઘટના સામે આવી  છે. જેમાં એક જ પરીવારે સાથે આત્મહત્યા કરતા ચકચારી વ્યાપી ગઈ છે. પતિ પત્ની પહેલા બાળકને મારી ખૂદ મરી ગયા હતા. ગળા ફાંસો ખાઈને આત્મહત્યા પરીવારે કરી હોવાનું સામે આવી રહ્યું છે. આ પ્રકારની ઘટનાઓ ખરા અર્થમાં ચિંતા જન્માવી રહી છે. વાઘાડીયા વિસ્તારમાં આવેલી  દર્શન ઉપવન નામની સોસાયટીમાં મિસ્ત્રી પરીવારે આ સામૂહીક આત્મહત્યા કરી હતી.

રાજ્યમાં જિલ્લા અને ખાસ કરીને શહેરોમાં સામૂહીક આત્મહત્યાના બનાવો પરીવારના અવાર નવાર સામે આવતા હોય છે. વડોદરામાં દેવામાં ડૂબેલા પરીવારે આત્મહત્યા કરતા ચકચારી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર વડોદરામાં પ્રિતેશભાઈ  મિસ્ત્રીએ પરીવારના સભ્યો જેમાં બાળક અને પતિ પત્ની સાથે સામૂહીક આત્મહત્યા કરી છે. પ્રિતેશભાઈએ દિવાલ પર આત્મહત્યાનું કારણ પણ લખ્યું હતું. મળતી વિગતો અનુસાર પરીવારમાંથી સૌ પ્રથમ પોતાના બાદ તેમના સંતાનનું શું થશે તે વિચારી પહેલા બાળકને મારી માતા પિતાએ પણ મોતને વ્હાલું કર્યું છે. આ વિચાર કરી દે તેવી  ઘટનાથી વડોદરા આખામાં ચકચારી વ્યાપી ગઈ છે.

આ કારણ દિવાલ પર લખ્યું

પ્રિતેશભાઈ દિવાલ પર તેમની આત્મહત્યાનું કારણ લખ્યું હતું. જેમાં પરીવાર આર્થિક ભિંસમાં હોવાના કારણે આત્મહત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે. દેવું વધી જતા આ આત્મહત્યા કરી હોવાનું પણ સામે આવી રહ્યું છે. પોલીસ અને સગાઓ ઘટના સ્થળ પર તરત જ પહોંચી ગયા હતા. દિવાલ પર લખાણ લખીને પરીવારે સામૂહીક આત્મહત્યા કરી હતી. આ પ્રકારના બનાવો ખરેખર ચિંતાજનક છે.

અગાઉ અમદાવાદ પોલીસ પરીવારે કરી હતી આત્મહત્યા
અગાઉ અમદાવાદમાં પણચ ગોતા વિસ્તારની અંદર પોલીસ પરીવારે આત્મહત્યા કરી હતી. ત્યારે આ આત્મહત્યા બાદ ફરી એકવાર વડોદરામાં આ બનાવ સામે આવ્યો છે. અમદાવાદમાં ફ્લેટમાં કુદીને પતિ-પત્નીએ પડતું મુક્યું હતું.

संबंधित पोस्ट

મોરબીમાં વિશ્વ ગ્રાહક સપ્તાહ નિમિતે કર્મનિષ્ઠ કર્મચારી અને પ્રામાણિક વેપારીના સન્માન

Karnavati 24 News

 પાટણના જાયન્ટ્સ પરિવારે દાતાઓના સહયોગથી સુર્યાનગર શાળાના 250 બાળકોને સ્વેટર વિતરણ કર્યુ

Karnavati 24 News

વલસાડ રૂરલ પોલીસે ઇન્ટરનેશનલ સિનિયર સિટીઝન ડે નિમિતે ઘરડાઘરના વડીલો સાથે ગરબા રમી હૂંફ પુરી પાડી

Karnavati 24 News

વાપીની BNB સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીને બે ગોલ્ડ મેડલ મેળવ્યા

Karnavati 24 News

સુરત : પલસાણાના ચલથાણમાં રેલવે યાર્ડમાં ગુડ્સ ટ્રેનમાંથી સિમેન્ટનું રો મટીરીયલ ઠલવાય છે : પ્રજા ત્રાહિમામ !

Karnavati 24 News

ગુજરાત પ્રવાસ પર વધુ એક કેન્દ્રીય નેતાઃ ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બીએલ સંતોષ બે દિવસના ગુજરાત પ્રવાસે છે