Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
Religion

સુરતની શાળાઓમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અપાયો આદેશ, આ નિયમો પાલન કરવા સૂચન

સુરતની શાળાઓની અંદર કોરોનાના ગાઈડલાઈનના બેઝિક નિયમોનું પાલન કરવાને લઈને આદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને કોરોનાના નવા વેરીયન્ટની દહેશતને લઈને રાજ્ય સરકાર દ્વારા 32 હજાર સ્કૂલોમાં ગાઈડલાઈનનું પાલન કરવાને લઈને આગામી સમયમાં પરીપત્ર જારી કરાય તેવી શક્યતા છે ત્યારે એ પહેલા જ સુરતની અંદર કોરોનાને ધ્યાનમાં રાખીને કેટલાક નિયમોનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે.

સાવચેતીના ભાગરુપે અત્યારથી જ શાળાઓમાં કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવું જરુરી હોવાથી આ આદેશ આપવામાં આવ્યો છે. સુરતની શાળાઓને કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવા સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાને પત્ર પાઠવી આદેશ કર્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. જે શાળાઓમાં આદેશ કરવામાં આવ્યો છે.

જેમાં ખાસ કરીને ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓમાં બાળકો, બિનશૈક્ષણિક કર્મચારીઓ અને બિનશૈક્ષણિક સ્ટાફ વગેરેને તેનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે. શાળાઓમાં સેનિટાઈઝેશન કરવું, હાથ ધોવા, સોશિયલ ડીસન્ટન્સ જાળવવું વગેરેને લઈને સૂચનાઓ આપવામાં આવી છે. યોગ્ય રીતે માસ્ક પહેરવા પણ સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને કોરોનાની પ્રથમ લહેર બાદ ત્રીજી લહેર સુધી કોરોનાના કેસો સામે આવ્યા છે. શાળાઓમાં વિદ્યાર્થીઓ સંક્રમિત અગાઉ થયા હતા ત્યારે અત્યારથી જ શાળાઓ સતર્ક જોવા મળી રહી છે. કેટલીક શાળાઓમાં ખાસ કરીને અત્યારથી વિદ્યાર્થીઓ માસ્ક પહેરતા પણ નજરે પડી રહ્યા છે.

संबंधित पोस्ट

आखिर क्यों चढ़ाया जाता है शनि देव पर सरसों का तेल।

Admin

बठिंडा में पुलिस को बड़ी कामयाबी मिली है, जहां दो अलग-अलग मामलों में पुलिस ने 7 तारीख को गिरफ्तारी कर भारी मात्रा में अवैध हथियार बरामद किए हैं.

Admin

પોષ પૂર્ણિમા 2023 તારીખઃ જાન્યુઆરીમાં આ દિવસે છે પોષ પૂર્ણિમા, દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા કરો આ ઉપાય

Admin

बच्चा चोरी करने वाली मां और उसकी बेटी को बठिंडा पुलिस ने समाजसेवी संस्थाओं की मदद से किया गिरफ्तार

Admin

हादसा : घने कोहरे के चलते झांसी से दिल्ली आ रही बस पलटी, कई यात्री घायल

Admin

उज्जैन के महाकाम मंदीर में नए साल में लाखो श्रद्धालुकी भीड बढेगी

Admin