Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સાવરકુંડલાનાં આદસંગની સીમમાં વન્યપ્રાણીઓ માટે જોખમી ગેરકાયદેસર વીજ જોડાણ દુર કરો

સાવરકુંડલાના વન્ય પ્રાણી પર્યાવાસ વિસ્તાર એવા આદસંગ ખોડીયાનાના રોડઉપર રોડ ખોદી એકાદ કિલોમીટર જેટલા દુરના સ્થળે ગેરકાયદે વીજ વાયર દોડાવીવીજ કનેકશન લેવાતા ઓઘડધાર વિસ્તારમાં વસતા શેડયુલ વનમાં આવતા સિંહો, દીપડા, રોજ સહિતના વન્ય પ્રાણીઓના જીવ ઉપર જોખમ સર્જાયું છે.

સાવરકુંડલાના ખોડીયાર જતાં માર્ગ -મકાન પંચાયતના ડામર રોડ ગેરકાયદે ખોદી વન વિભાગ કે પીજીવીસીએલના અધિકારીઓની રહેમ દ્રષ્ટિ અને નજર હેઠળ એક વાડીમાંથી બીજી વાડીમાં એકાદ કિલોમીટર જેટલો સર્વિસ વાયર દોડાવી ખેતરોને વાળમાં રાખી ગેરકાયદે વીજ કનેકશન ચાલુ કરી દેવાતા આદસંગ-ખોડીયાણા ઓઘડધાર વિસ્તારમાં રહેતા શેડયુલ વનમાં આવતા સિંહ પરિવારો, નીલગાય, ઝરખ, શિયાળ સહિતના વન્યપ્રાણી પક્ષીઓ અને માનવોના જીવ ઉપર જોખમ સર્જાતા ગમે ત્યારે કોડીનારના આલીદર ગામે માનવીઓ દ્વારા સિંહને શોર્ટ સર્કિટમાં મારી સળગાવી દેવાના બનાવનું પુનરાવર્તન થાય

તે પહેલા વન વિભાગ અને પીજીવીસીએલ દ્વારા તપાસ કરી કસુરવાર એવા ગેરકાયદે વીજ કનેકશન આપનારા વાડી માલિક, ગેરકાયદે વીજ કનેકશન લેનાર સહિતના જવાબદારો સામે વન્ય પ્રાણી અધિનિયમ 1972 નીચે તપાસ કરી પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી કરી એફઆઇઆર નોંધાવી વીજ કનેકશન ધારક દ્વારા ગેરકાયદે આપેલા વીજ કનેકશન, વાડી માલિકનું વીજ કનેકશન કાયમી ધોરણે રદ કરવા લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા માંગણી કરવામાં આવી છે.

संबंधित पोस्ट

 લોચન સહેરા અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા, 7 IAS અધિકારીની બદલી

Karnavati 24 News

 UKથી આવેલી 27 વર્ષિય યુવતિ ઓમિક્રોન પોઝીટીવ, શહેરમાં ત્રીજો કેસ નોંધાયો

Karnavati 24 News

કડકડતી ઠંડી માટે તૈયાર રહેજા !!! ઉતરના રાજ્યોમાં હિમ-વર્ષા પડશે, તો દક્ષિણમાં વરસાદી ઝાપટાં પડવાની આગાહી

Admin

સુરત માં શિવરાત્રી ને લઈ શિવાલયો મા ભક્તો નું ઘોડા પુર ઉમટયું

Karnavati 24 News

જુનાગઢ ફટાકડા બજારમાં ભાવમાં 35 થી 40 ટકાનો ધરખમ વધારો

Admin

જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે જૂનાગઢમાં 700 શિક્ષકો દ્વારા વિશાળ રેલી યોજી સૂત્રોચાર

Karnavati 24 News