સાવરકુંડલાના વન્ય પ્રાણી પર્યાવાસ વિસ્તાર એવા આદસંગ ખોડીયાનાના રોડઉપર રોડ ખોદી એકાદ કિલોમીટર જેટલા દુરના સ્થળે ગેરકાયદે વીજ વાયર દોડાવીવીજ કનેકશન લેવાતા ઓઘડધાર વિસ્તારમાં વસતા શેડયુલ વનમાં આવતા સિંહો, દીપડા, રોજ સહિતના વન્ય પ્રાણીઓના જીવ ઉપર જોખમ સર્જાયું છે.
સાવરકુંડલાના ખોડીયાર જતાં માર્ગ -મકાન પંચાયતના ડામર રોડ ગેરકાયદે ખોદી વન વિભાગ કે પીજીવીસીએલના અધિકારીઓની રહેમ દ્રષ્ટિ અને નજર હેઠળ એક વાડીમાંથી બીજી વાડીમાં એકાદ કિલોમીટર જેટલો સર્વિસ વાયર દોડાવી ખેતરોને વાળમાં રાખી ગેરકાયદે વીજ કનેકશન ચાલુ કરી દેવાતા આદસંગ-ખોડીયાણા ઓઘડધાર વિસ્તારમાં રહેતા શેડયુલ વનમાં આવતા સિંહ પરિવારો, નીલગાય, ઝરખ, શિયાળ સહિતના વન્યપ્રાણી પક્ષીઓ અને માનવોના જીવ ઉપર જોખમ સર્જાતા ગમે ત્યારે કોડીનારના આલીદર ગામે માનવીઓ દ્વારા સિંહને શોર્ટ સર્કિટમાં મારી સળગાવી દેવાના બનાવનું પુનરાવર્તન થાય
તે પહેલા વન વિભાગ અને પીજીવીસીએલ દ્વારા તપાસ કરી કસુરવાર એવા ગેરકાયદે વીજ કનેકશન આપનારા વાડી માલિક, ગેરકાયદે વીજ કનેકશન લેનાર સહિતના જવાબદારો સામે વન્ય પ્રાણી અધિનિયમ 1972 નીચે તપાસ કરી પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી કરી એફઆઇઆર નોંધાવી વીજ કનેકશન ધારક દ્વારા ગેરકાયદે આપેલા વીજ કનેકશન, વાડી માલિકનું વીજ કનેકશન કાયમી ધોરણે રદ કરવા લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા માંગણી કરવામાં આવી છે.