Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સાવરકુંડલામાં રાજ દરબાર ગઢ ખંડેર બન્યો ,ઈમલો હટાવી રીનોવેશન કરવાની માંગણી ઉઠી

સાવરકુંડલા શહેરની શોભા ગણાતો રાજ દરબારગઢ હાલ ખંડેર હાલતમાં જોવા મળી રહ્યો છે રાજ દરબારગઢ જવાના આગળના ગેઇટ પર દેશી વિલાયતી નળીયાઓ ઉપરથી પડું પડું થઈ રહ્યા હોય ત્યારે ગંભીર અકસ્માત ને આમંત્રણ આપતા આ રાજ દરબારગઢ ના કાટમાળનો ઇમલાઓ હટાવાની કે પછી રીનોવેશન કરવાની તાતી જરૂરીયાત જણાઈ રહી છે

કારણ કે રાજ દરબારગઢમાં અગાઉ મામલતદાર ઓફિસ, કોર્ટ, ટેલીફોન એક્સચેન્જ કચેરી, તિજોરી કચેરી, નગરપાલિકા અને એસબીઆઇ બેન્ક કાર્યરત હતી પરંતુ ધીમે ધીમે મુખ્ય ગણાતી કોર્ટ, મામલતદાર કચેરી, નગરપાલિકા, ટેલીફોન એક્સચેન્જ જેવી કચેરીઓ બંધ થઈ જતા હાલ આસ્થાનું ગણાતું મંદિર એક દરગાહ અને એસબીઆઇ બેન્ક તેમજ પેટા તિજોરી કચેરી આવેલી હોય

અને હજારો લોકો રોજની અવરજવર સાથે બેન્ક અને દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ ઉપર અકસ્માતને આમંત્રણ આપતા વિલાયતી નળિયા સહિતનો કાટમાળ ઉપરથી પડવાના વાંકે ઊભો જણાઈ રહ્યો હોય ત્યારે સરકારી તંત્ર દ્વારા રાજ દરબારગઢમાં આગળના ગેઇટ પર અકસ્માત ને આમંત્રણ આપતા આ વિલાયતી નળીયાઓ અને કાટમાળને નિકાલ કરવો ખૂબ જરૂરી હોય તેવી પ્રબુદ્ધ લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે.

संबंधित पोस्ट

મોરબીના વાઘપર-ગાળા પાસે માઈનોર કેનાલમાં ગાબડું પડ્યું

Karnavati 24 News

રાજ્યમાં સરેરાશ ૧૦૦% વરસાદ: ૧૦ તાલુકામાં ૫૦% અને ૬૧ તાલુકામાં ૮૦% વરસાદ નોંધાયો

Karnavati 24 News

સુરત માં શિવરાત્રી ને લઈ શિવાલયો મા ભક્તો નું ઘોડા પુર ઉમટયું

Karnavati 24 News

જામનગરની ભાગોળે યુવાનની હત્યા નીપજાવનાર ત્રણેય આરોપી પકડાયા

Karnavati 24 News

CBSE સેમ 1 ના 2021-22 પરિણામો

Karnavati 24 News

રાણકીવાવ ના પર્યટકો માટે કેન્ટીન,ગેસ્ટ હાઉસ મ્યુઝિયમ સંકુલમાં બનાવવા તૈયારી

Karnavati 24 News