Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

દેવાયત ખવડ મામલે મયુરસિંહના પરીવારજનોએ ધરપકડ ના થાય તો આંદોલન કરવાની આપી ચીમકી

દેવાયત ખવડની ધરપકડ ના થતા પોલીસ સાથે મિલીભગતને લઈને પરીવારજનોએ આરોપ લગાવ્યો છે. રાજકોટમાં થોડા દિવસ પહેલા દેવાયત ખાવડ નામના શખ્સે મયુરસિંહ રાણા નામના વ્યક્તિ પર હુમલો કર્યો હતો. જૂની અદાવતમાં પાઈપથી માર માર્યો હતો.

આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હોવા છતાં પણ ખવડ પોલીસ પકડથી દૂર છે તે મામલે પરીવારજનો દ્વારા ધરપકડની માંગ કરવામાં આવી રહી છે અને ધરપકડ નહીં થાય તો આંદોવનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. જુની અદાવતમાં આ ઝઘડો થયો હતો અગાઉ દેવાયતના પાઈપથી માર મારતો વીડિયો પણ સીસીટીવીનો સામે આવ્યો હતો.

પાઇપ જેવા હથિયાર વડે કરેલા હુમલામાં મયુરસિંહ રાણાને બંને પગમાં ગંભીર ઇજાઓ થઇ છે. ઇજાગ્રસ્ત મયુરસિંહ રાણાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેથી આ મામલે ગંભીરતા દાખવીને ધરપકડની માંગ કરાઈ છે જ્યારે દેવાયત ખવડ તેમના ઘરેથી ક્યાંક ભાગી ગયો હોવાથી પોલીસ હજુ સુધી ફરીયાદ થતા હાજર કરી શકી નથી.

પોલીસે આશ્રયસ્થાનો સહિત તેના વતન સ્થાનની શોધખોળ કરી છે પરંતુ હજુ સુધી દેવયાતની ધરપકડ કરી શકી નથી. આજે મયુરસિંહ રાણાના પરિવાર અને મિત્રોએ 48 કલાકમાં તેની ધરપકડ કરવાની માંગ કરી છે. જો ધરપકડ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગેથી આંદોલન શરૂ કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

संबंधित पोस्ट

ગાઝિયાબાદ: 243 કિલો ગાંજા સહિત 3 દાણચોરોની ધરપકડ એનસીઆરમાં માંગ પુરવઠા પર

Karnavati 24 News

લખનૌની હોટલમાં પ્રોપર્ટી ડીલરે ફાંસી લગાવી આત્મહત્યા: સુસાઈડ નોટમાં કહ્યું, મારા મોત અંગે પરિવારને જાણ ન કરો, અપશબ્દો હશે

Karnavati 24 News

 મધ્યપ્રદેશથી અમદાવાદ આવી રહેલી ટ્રાવેલ્સના ચાલકને ત્રણ અજાણ્યા પેસેન્જરોએ મારામારી બસને નુકશાન પહોંચાડ્યું

Karnavati 24 News

गोली चला के दहशत फैलाकर रंगदारी मांगने के जुर्म में चार अपराधियों को पुलिस ने गिरफ्तार कर भेजा जेल

Admin

17 વર્ષથી પોલીસને થાપ આપતા ઉદાજી સોલંકીને બાયડ પોલીસે ઝડપ્યો : 6 વર્ષથી પકડ વોરંટ બચતા અનુપસિંહ ચૌહાણને દબોચ્યો

દાહોદ એલસીબી પોલીસે પરથમપુર ગામે રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની બોટલો નંગ 384 કિંમત 39,792 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી મકાન માલિક સામે ગુનો દાખલ કર્યો