Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

95 દેશના દોઢ લાખ લોકો પર પ્યૂરિસર્ચનો સરવે કરાતા જાણવા મળ્યું, 100 કરોડથી વધુ લોકો જાદુ-ટોણાંમાં વિશ્વાસ કરે છે

જાદુ-ટોણાં એક એવો વિષય છે જેનું નામ સાંભળતા જ લોકોની અલગ જ છબી મનમાં આવે છે. પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે આ ટેક્નોલોજીના યુગમાં પણ દુનિયાના 100 કરોડથી વધુ લોકો જાદુ-ટોણાંમાં વિશ્વાસ કરે છે. પ્યૂ રિસર્ચ દ્વારા 95 દેશમાં કરાયેલા સરવેમાં આ ખુલાસો થયો છે. લગભગ 40%એ અંધવિશ્વાસ ઉપરાંત ડાકણ, ચૂડેલ પર વિશ્વાસ દર્શાવ્યો છે.

તેમાં લગભગ દરેક દેશના નાગરિક છે. રસપ્રદ વાત એ છે કે શિક્ષણના સ્તર તેમજ આર્થિક સુરક્ષાની સાથે અંધવિશ્વાસમાં ભરોસાના સ્તરમાં દેશોની વચ્ચે અંતર જોવા મળ્યું હતું. એક તરફ સ્વીડનમાં 9% કરતાં પણ ઓછા લોકોને જાદુ-ટોણાંમાં ભરોસો છે. બીજી તરફ ટ્યૂનિશિયામાં 90%થી વધુને તેના પર ભરોસો છે. રિસર્ચમાં અંધવિશ્વાસ અને ડાકણ પર વિશ્વાસનો સીધો સંબંધ સામાજિક સુરક્ષા, શિક્ષણ, સાંસ્કૃતિક માન્યતા, બંધારણીય સંસ્થા સાથે જોડાયેલો છે.

2008થી 2017ની વચ્ચેના આ સરવેમાં લોકોને આ અંગે સવાલ પૂછવામાં આવ્યા હતા. અમેરિકન યુનિવર્સિટીના સમાજશાસ્ત્રી તેમજ મુખ્ય સંશોધક બોરિસ ગેર્શમેન માને છે કે આ વિશ્વાસ હજુ પણ અનેક સ્થળે સંઘર્ષનું કારણ બને છે. જોકે, ચીન અને ભારતના વધુ ડેટાની જરૂર છે. સ્વિત્ઝર્લેન્ડ, સ્કૉટલેન્ડ અને નોર્વેની સંસદમાં ડાકણ તેમજ ચૂડેલથી પરેશાન હોવાના તેમજ તેનાથી છુટકારા માટેના પણ પ્રસ્તાવ આવી ચુક્યા છે. સ્પેનના કેટાલોનિયામાં ગત વર્ષે સંસદમાં એક પ્રસ્તાવ પસાર થયો. હતો. તેમાં ડાકણ અથવા ચૂડેલ ગણાવીને માર ખાનાર મહિલાઓને તેના દોષથી મુક્ત કરાઈ હતી. સંસદે આ હત્યાઓ માટે સાર્વજનિક માફી માંગી હતી.

संबंधित पोस्ट

પાટણમાં ‘વિશ્વાસ થી વિકાસયાત્રા’ ઝૂંબેશ અંતર્ગત પ્રભારીમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે 89.86 કરોડના 74 કામોનું થયું લોકાર્પણ/ખાતમુહૂર્ત

Admin

પાટણ યુનિવર્સિટીમાં મહિલાઓની જાતીય સતામણી વિષય પર એક દિવસીય સેમીનાર યોજાયો

Karnavati 24 News

 કાલાવડના નગરપીપળીયા ગામે ટ્રકે ૧૧ કેવીના વીજપોલને ઠોકરે ચડાવી એક લાખની નુકસાની પહોચાડી

Karnavati 24 News

વડોદરા શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં મહેતા ફ્યુલ કેર દ્વારા રિલાયન્સ JIO BP પેટ્રોલ પંપ ની શરૂઆત કરવામાં આવી છે

Karnavati 24 News

COVID-19 : ઈસનપુર પોલીસ સ્ટેશન દ્વારા માસ્ક વિતરણ કાર્યક્રમ

Karnavati 24 News

 કોણ બનશે સરપંચ ? મોરબી જીલ્લાના ૧૯૭ ગ્રામ પંચાયતની બેઠકો આવતીકાલે ફેસલો

Karnavati 24 News