Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

પાસપોર્ટના અરજદારો માટે ખુશીના સમાચાર: કાલ શનિવારે પણ રાજકોટની પાસપોર્ટ ઓફિસ રહેશે ચાલુ

પાસપોર્ટના અરજદારો માટે ખુશીના સમાચાર: કાલ શનિવારે પણ રાજકોટની પાસપોર્ટ ઓફિસ રહેશે ચાલુ પાસપોર્ટ માટે અરજી કરનારની સંખ્યામાં વધારો થતાં પાસપોર્ટ ઓફિસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે પ્રમાણે શનિવાર હોવા છતાં કાલે રાજકોટ સહિત અમદાવાદ અને વડોદરાની પાસપોર્ટ ઓફિસ ચાલુ રહેશે. પાસપોર્ટના અરજીનો ભરાવો થયો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. તો હવે રાજકોટવાસીઓને પાસપોર્ટ માટે અરજી કરવી હોય તે કાલે પાસપોર્ટ ઓફિસ જઈ શકે છે તથા પાસપોર્ટ ઓફિસ જવા ઓનલાઇન રજિસ્ટ્રેશન પણ શનિવાર માટે કરવી શકે છે. કાલ શનિવાર હોવા છતાં રાજકોટની પાસપોર્ટ ઓફિસ તત્કાલ તથા સામાન્ય પાસપોર્ટ માટે અરજી કરનાર માટે કાલ પાસપોર્ટ ઓફિસ ખુલી રહેશે. જે લોકો શનિવારની ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવા માંગે છે તે લોકો માટે શનીવારે પણ વેબસાઈટ પર એપોઈન્ટમેન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તત્કાલ તથા રેગ્યુલર એપોઈન્ટમેન્ટ વાળા લોકો માટે કાલ ૩ જી ડિસેમ્બર શનિવારે પાસપોર્ટ ઓફિસ ચાલુ રહેશે. તત્કાલ પાસપોર્ટ માટે અરજી કરનાર લોકોએ ૧૩ ડોક્યુમન્ટ માંથી ૩ ડોક્યુમેન્ટ લઈ આવવા ફરજિયાત છે તથા એક વખત એપોઈન્ટમેન્ટ મળ્યા બાદ તેમાં કોઈ પણ જાતની ફેરફાર થશે નહિ તાથા રિફન્ડ પણ મળશે નહિ.

संबंधित पोस्ट

 દમણમાં 31st ડિસેમ્બરની નાઈટ પાર્ટીને કરફ્યુનું ગ્રહણ

Karnavati 24 News

અમરેલી જિલ્લામા જુગારની બદીને ડામવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા આવી

Karnavati 24 News

दिल्ली: खूंखार कुत्तों ने नोंचकर 2 मासूम भाइयों के टुकड़े कर ले ली जान, MCD की कार्रवाई पर उठे सवाल!

 વાઘોડિયા રોડ પર તુટેલા ઢાંકણામાંથી ગાય વરસાદી કાંસમાં ખાબકી, ફાયર જવાનોએ રેસ્ક્યૂ કરી

Karnavati 24 News

અગવડ પડતાં સૂત્રો દ્વાર મેડલ માહીતી… જુઓ પાર્કિંગ 👆

Karnavati 24 News

 ખંભાળીયાના આસામીનું રૂા.6 કરોડની કિંમતનું વહાણ ઈરાન નજીક દરિયામાં ડુબ્યુ

Karnavati 24 News