Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

વાઘની જોડી ના બદલામાં સક્કરબાગથી મુંબઈના ઝૂમાં મોકલાયુ સિંહ યુગલ

મુંબઈના સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં રહેલા એક 17 વર્ષના સિંહનું વૃદ્ધાવસ્થાના કારણે ગત ઓક્ટોબર માસમાં મોત થયું હતું ત્યારબાદ ત્યાં એક જ 11 વર્ષનો સિંહ રહ્યો હતો તે પણ બીમાર હાલતમાં છે આથી સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન દ્વારા વન્ય પ્રાણી આદાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢના સકરબાગ ઝૂ માંથી વાઘની જોડી ના બદલામાં સિંહની જોડી ની માંગણી કરવામાં આવી હતી જેને ગત 31 ઓક્ટોબરના મંજૂરી મળી હતી જેના અનુસંધાને જુનાગઢ સક્કરબાગ ઝૂમાંથી બે બે વર્ષના ડી-11 અને ડી-22 નામના સિંહ અને સિંહણને મુંબઈના સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં મોકલવામાં આવ્યા હતા ત્યાંથી 6 વર્ષના બજરંગ નામના વાઘ અને 4 વર્ષની દુર્ગા નામની વાઘણને જુનાગઢના સક્કરબાગમાં લાવવામાં આવ્યા છે આ બંને વાઘને સ્વસ્થ અને સુરક્ષિત રીતે લવાયા છે આ વાઘ યુગલને આગામી એક મહિના સુધી નિરીક્ષણમાં રાખવામાં આવશે ત્યારબાદ લોકોને નિહાળવા માટે પાંજરામાં રાખવામાં આવશે આમ બહારથી આવેલા પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં અંદાજે 30 વર્ષ પછી વાઘની જોડી લવાઈ છે

संबंधित पोस्ट

શ્રીલંકામાં રાષ્ટ્રપતિએ 5 દિવસ બાદ અડધી રાત્રે હટાવી ઈમરજેંસી, દેશભરમાં ચીન વિરુદ્ધ પ્રદર્શન

Karnavati 24 News

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડના વિરોધમાં જૂનાગઢમાં રેલી યોજી આપવામાં આવ્યું આવેદનપત્ર

Karnavati 24 News

અલંગ ભંગાણ અર્થે આવતા જહાજ માંથી થયેલ ચોરીનો દોઢ લાખનો કીમતી સમાન સરતાનપર બંદર ગામેથી ઝડપાયો

Karnavati 24 News

દીવમાં કિસાન ક્રેડીટ કાર્ડ સંદર્ભે બેંકોની મીટીંગ યોજાઈ, મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા

Karnavati 24 News

વાપી જીપીસીબી-પોલીસની ઓળખ છે હું આ જગ્યાએ કેમિકલ વેસ્ટ ખાલી કરું છું મને કોઈ રોકી નહીં શકે કરવડમાં ભંગારીયાની ધમકી

Karnavati 24 News

 અમરેલીમાં 2.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા

Karnavati 24 News