Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચારરાજકારણરાજ્ય

મોદી રાજકોટના આંગણે: ચૂંટણી માટે પ્રચાર કરી જાહેર સભા ગજવશે

વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પોલીસ, અધિકારીઓ તથા પેરામીલટ્રી ફોર્સ દ્વારા સતત ફલેગ માર્ચ યોજી દેખરેખ રાખવામાં આવી રહી છે. આચાર સંહિતાનો ભંગ ન થાય તે માટે પણ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે ત્યારે રાજનૈતિક પાર્ટીઓ પણ લોકોના દિલ અને વોટ જીતવા સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત સભા ગજવવા રાજકોટ આવી રહ્યા છે. રાજકોટ ભાજપના ઉમેદવાર કે જે ચૂંટણીમાં ઊભા છે તેઓ માટે પ્રચાર કરવા ખુદ નરેન્દ્ર મોદી રાજકોટ આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી ૨૮ નવેમ્બરના રાજકોટ આવી રહ્યા છે. તેઓ રેસકોર્સ ખાતે સભા ગજવશે. જામનગરના એરપોર્ટ પર ઉતરી સીધા રાજકોટ સભા સ્થળે પહોંચવાના છે જેથી રાજકોટના તેમના અઘિકારીઓ પદાધિકારીઓ અને પોલીસ કમિશ્નર વગેરે અધિકારીઓએ તાબડતોબ મીટીંગો યોજી આયોજન કરવાનું કામકાજ શરૂ કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત તથા સભામાં કોઈ ભૂલચૂક ન થાય તે માટે પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર ઉપરાંત ચારેય ડીસીપી, એસીપી સહિતના પોલીસ અધિકારીઓ ઉપરાંત સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી), ફાયરબ્રિગેડ, પીજીવીસીએલ, આરટીઓના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. હાલ જ વડાપ્રધાનની જાહેરસભા દરમિયાન સુરક્ષામાં છું રહી ગઈ હોય તેમ આસમાનમાં ડ્રોન ઉડતા દેખાય હતા ત્યારે ખાસ રાજકોટમાં આવી કોઈ ઘટના ન બને તે માટે સુરક્ષા વધુ કડક કરી રહ્યા હોય તેમ બધા અધિકારીઓ પદાધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી.

संबंधित पोस्ट

ચૂંટણીનું મનદુઃખ રાખીને એક ટોળાએ ઘરમાં ઘૂસીને દલિત પરિવારને અપમાનિત કરીને માર માર્યો

Karnavati 24 News

CBSE 10મું પરિણામ 2022 : 20 જૂન સુધીમાં ધોરણ 10ની આન્સર શીટ તપાસો, પરિણામ 29 અથવા 30 જૂને આવી શકે છે

Karnavati 24 News

ખારવા પંચ ભોઇ પંચ છડીએ ધોળીકુઈમાં નામનું રોકાણ કર્યું તો વાલ્મિકી પંચની છડીએ આલી હરીજન વાસ માં રોકાણ કર્યું હતું

Karnavati 24 News

આમ આદમી પાર્ટીના નેતા અને સૌરાષ્ટ્રમાં રાજકીય ક્ષેત્રના જાણીતા આગેવાન રાજભા ઝાલા તેમના સમર્થકો સાથે પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભાજપમાં જોડાયા.

Admin

મનપા ઇમ્પેક્ટ ફી ભરી સેવા સદનને પણ કાયદેસર કરાવશે ?

Admin

ચૂંટણીઓ વહેલી યોજાય તો નવાઈ નહી, વડાપ્રધાનના કાફલામાં ઓપન જીપ સાથે રખાઈ, ઓપન જીપમાં ગાંધી આશ્રમથી બેસી શકે છે,

Karnavati 24 News