Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

શોમનાથ બાયપાસ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 2 વ્યકિતનાં મોત

શોમનાથ બાયપાસ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 2 વ્યકિતનાં મોત

અમરેલીના વડલી ગામનો પરિવાર ઈકો કાર મારફત દ્વારકાથી દર્શન કરી પરત ફરી રહ્યો હતો તે દરમિયાન સોમનાથ બાયપાસ તાલાલા ચોકડીના બ્રિજ પર ટ્રક સાથે અકસ્માત સર્જાતા ડ્રાઈવર સહિત 2 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. આ અંગેની પ્રભાસ પાટણ પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ હરેશભાઈ બાલુભાઈ સાંખટ રહે.વડલી, તા.જાફરાબાદ, જી.અમરેલી ગત તા.2 ના રોજ તેમના પીતા બાલુભાઇ, માતા લુંણીબેન, બહેન જયાબેન, ભાઇ મુકેશભાઇ, ભાણકી પ્રીયંકા, સસરા મનુભાઇ, સાસુ કંચનબેન, પત્ની સોનલબેન, દાદી જોમુંબેન તથા ડ્રાઈવર રાજેશભાઈ શામજીભાઇ ગલથરીયા સહિતના કાર લઈ વડલી ગામેથી બુધવારે રાતના એક વાગ્યાની આસપાસ દ્વારકા દર્શન અર્થે જવા માટે નિકળેલ હતા અને દર્શન કરી સાંજના છએક વાગ્યે ઘરે આવવા માટે નિકળેલ તે દરમિયાન રાતના એકાદ વાગ્યે સોમનાથ બાયપાસ તાલાલાચોકડી બ્રીજ ઉપર પહોંચતા કાર ટ્રકની પાછળના ભાગે અથડાતાં તમામને નાની મોટી ઈજાઓ પહોંચતા વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે 108 મારફત ખસેડવામાં આવ્યા હતા.જ્યાં પહોંચતા બાલુભાઈ સાંખટ અને ડ્રાઈવર રાજેશભાઈ ગલથરીયાને ડોકટરે મૃતક જાહેર કર્યા હતા.અને ટ્રક ચાલક વિરૂદ્ધ પોલીસે ફરિયાદ નોંધી હતી.

संबंधित पोस्ट

 વડોદરાની નિશાકુમારીનું સાહસ: ચોવીસ કલાકમાં બે વાર તળેટી થી કેદારકંથા શિખરની ટોચ સુધી આરોહણ કરી શિખર પર થી સૂર્યોદય અને સૂર્યાસ્ત નિહાળ્યો…

Karnavati 24 News

 ખંભાળીયાના આસામીનું રૂા.6 કરોડની કિંમતનું વહાણ ઈરાન નજીક દરિયામાં ડુબ્યુ

Karnavati 24 News

 ચાણસ્માના ખેડૂતે પરંપરાગત ખેતી છોડી ઓર્ગેનિક આમળાની સફળ રીતે ઉત્પાદન મેળવ્યું, બે વિઘામાંથી વર્ષે 1.20 લાખની કમાણી

Karnavati 24 News

 કાલાવડના નગરપીપળીયા ગામે ટ્રકે ૧૧ કેવીના વીજપોલને ઠોકરે ચડાવી એક લાખની નુકસાની પહોચાડી

Karnavati 24 News

કણી ગામે સિમેન્ટનો થાંભલો હટાવવા મુદ્દે ધિંગાણું, બંનેપક્ષે 22 સામે પોલીસ ફરિયાદ

Karnavati 24 News

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આગામી તા. ૨૪ એપ્રિલે યોજાનારી પરીક્ષા સંદર્ભે દાહોદ જિલ્લાના તાલુકા મથકો ઉપર ૯૦ કેન્દ્ર, ૧૦૪૦ બ્લોકમાં કુલ ૩૧૧૮૦ ઉમેદવારો પરીક્ષા આપશે.

Karnavati 24 News