Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

પાટણ વિધાનસભાની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલેશ ઠક્કરે ઉમેદવારી ફોર્મ ભર્યું

પાટણ વિધાનસભાની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલેશ ઠક્કરે ઉમેદવારી ફોર્મ ભર્યું ગુજરાત વિધાનસભા ચૂંટણીના લોકઉત્સવના પડઘમ વાગી ચુકયા છે . 2022 ના આ ચૂંટણી રણસંગ્રામમાં ગુજરાતમાં પ્રથમવાર કમળ , પંજો અને ઝાડુના નિશાનના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાય તેવું કેટલીક બેઠકો પર અત્યારથી જ અનુમાન લગાવી રહ્યા છે ત્યારે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે પાટણ વિધાનસભાની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલેશ ઠક્કરે પોતાનું ઉમેદવારીપત્ર વિજયમુર્હુતમાં ચૂંટણી અધિકારીને સુપ્રત કર્યું હતું . પાટણ વિધાનસભા બેઠકનાં આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર વાવેશ ઠક્કરે પાટણ નગર માટે અનેક સેવાકીય કાર્યો કર્યા છે . મૃતપ્રાયઃ હાલતમાં બનેલી સીવીલ હોસ્પિટલને જીવંત કરવામાં તેઓએ મહત્વનો ફાળો આપ્યો હતો . ભૂતકાળમાં કોગ્રેસની પડખે રહી ચુકેલા આ સેવાભાવી વ્યકિતએ ‘ આપ ’ નો હાથ પકડતા તેઓને આમ આદમી પાર્ટી દ્વારા પાટણ વિધાનસભા બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ત્યારે આજે વિલાજ પાર્ટીપ્લોટ ખાતેથી સમર્થકોની મોટીસંખ્યા સાથે ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલતા રોડ શો યોજયો હતો . ત્યારબાદ વિજયમુર્હુતમાં મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારીને ઉમેદવારીપત્ર સુપ્રત કર્યું હતું . ત્યારબાદ આ રોડ શો મદારસા થઈ ત્રણ દરવાજા , હિંગળાચાચર અને બગવાડા ચોક ખાતે આવી પહોંચતા આપના સમર્થકોએ વિજય જેવો આનંદ ઉલ્લાસ વ્યકત કર્યો હતો . આ પ્રસંગે વાલેશ ઠકકરે જણાવ્યું હતું કે , 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં સરકારની અનેક નિષ્ક્રિયતાઓ સામે લોકો ચૂંટણી લડી રહયા છે . જે રીતે મને સહકાર મળી રહયો છે તે જોતા આ ચૂંટણીમાં મારો ચોકકસ વિજય થશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો . આ રોડ શો દરમ્યાન ઉમેદવાર લાલેશ ઠક્કર સહિત આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ મહાનુભાવોની પ્રતિમાને માલ્યાર્પણ કરી આર્શીવાદ મેળવ્યા હતા

संबंधित पोस्ट

દાહોદમાં નવું નિર્મિત ભાજપના કમલમ કાર્યાલય ખાતે 1111 દીવડા પ્રગટાવી દિવાળીની ઉજવણી..

Admin

 Omicron ને કારણે નેધરલેન્ડમાં લૉકડાઉન, ભારતમાં 269થી વધારે કેસ

Karnavati 24 News

સુતત માં બોગસ કબ્જા રસીદ તૈયાર કરી જમીન વહેંચી મારનાર ની કતારગામ પોલીસે ધરપકડ કરી

Karnavati 24 News

આ મંદિરમાં ચિઠ્ઠી લખવાથી મનોકામના થઇ જાય છે પૂરી, દેશવિદેશથી આવે છે લોકો દર્શન કરવા

Karnavati 24 News

ડબલ ટેક્સ સામે સ્થાનિકોનો વિરોધ:ગાંધીનગર પાલિકાના મિલ્કતની ટ્રાન્સફર ફી લેવાના નિણૅય સામે નાગરિકોનો વિરોધ, સ્ટેમ્પ ડ્યુટીની સાથે મિલ્કત વેરો પણ લેવામાં આવતાં કમિશ્નરને રજૂઆત

Karnavati 24 News

અમરેલી જિલ્લાના ભાદરવી અમાષ ના રોજ સુરાપુરા શ્રી પાતા દાદા ના નૂતન મંદિર નો જીણોદ્ધાર મહોત્સવ યોજાયો

Karnavati 24 News