Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચારદેશ

નોકરિયાત વર્ગ માટે ખુશખબર: તમે પણ કરી શકશો આ કામ, સરકાર પાસેથી મળશે બમ્પર લાભ

Employee Pension Scheme 2014: જો તમે નોકરી કરતા હોવ અને અત્યાર સુધી 2014 પહેલા વધેલી પેન્શન કવરેજના ઓપ્શનની પસંદગી નથી કરી, તો તમે આગામી 4 મહિનામાં તમારા એમ્પ્લોયર સાથે સંયુક્ત રીતે આમ કરી શકો છો. કર્મચારી પેન્શન (સુધારા) યોજના, 2014 ને જાળવી રાખવા અંગે સુપ્રીમ કોર્ટના આદેશ પછી આ આવ્યું છે. આપને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે એમ્પ્લોઈઝ પેન્શન (સુધારા) સ્કીમ, 2014 (Employees’ Pension (Amendment) Scheme, 2014) ને ચાલુ રાખ્યું છે. તેના પછી 2014 પહેલા વિસ્તારિત પેન્શન કવરેજ (Enhanced Pension Coverage) ને ન અપનાવનારા પાત્ર કર્મચારીઓ પણ આગામી 4 મહિનામાં તેનો ભાગ બની શકે છે.

વધારે લાભ મળી શકશે

આ નિર્ણય બાદ જે કર્મચારીઓ 1 સપ્ટેમ્બર 2014 સુધી ઈપીએસ (EPS) ના વર્તમાન સભ્યો હતા, તેઓ તેમના ‘વાસ્તવિક’ પગારના 8.33 ટકા સુધી યોગદાન આપી શકે છે. અગાઉ તેઓ પેન્શનપાત્ર પગારના માત્ર 8.33 ટકા યોગદાન આપી શકતા હતા અને મહત્તમ મર્યાદા દર મહિને 15,000 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. પરંતુ હવે કર્મચારીઓ આ યોજનામાં વધુ યોગદાન આપી શકશે અને વધુ લાભ પણ મેળવી શકશે.

કોર્ટના આદેશને વહેલી તકે અમલ કરવાની માગ

તેના સાથ કોર્ટે 2014 ના સુધારામાં શરતને બાજુ પર રાખી હતી, જેમાં કર્મચારી માટે દર મહિને 15,000 રૂપિયાથી વધુના પગારમાં 1.16 ટકા યોગદાન આપવું ફરજિયાત બનાવ્યું હતું. કર્મચારીઓના સંગઠનોએ માંગ કરી છે કે સરકાર પેન્શન ફંડ EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની અસાધારણ બેઠકનું આયોજન કરે જેથી કરીને સર્વોચ્ચ અદાલતના આદેશને ઝડપથી લાગુ કરી શકાય.

ઓગસ્ટ 2014 માં પેન્શન યોજનામાં સુધારો કરીને પેન્શનપાત્ર પગારની મહત્તમ મર્યાદા અગાઉ 6,500 રૂપિયા પ્રતિ માસથી વધારીને 15,000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવી હતી. તેનાથી સભ્ય અને તેમના એમ્પ્લોયર માટે વાસ્તવિક વેતનના 8.33 ટકા યોગદાન આપવાનું શક્ય બન્યું.

संबंधित पोस्ट

ઉડતા પંજાબઃ 100 દિવસમાં નશાના કારણે 59 લોકોએ જીવ ગુમાવ્યા

Karnavati 24 News

વ્યારામાં ઇંગ્લીશ દારૂની 72 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો, બે વોન્ટેડ

Karnavati 24 News

DRDOમાં 1248 વૈજ્ઞાનિકોની થશે ભરતી, ખાલી જગ્યા જલ્દી ભરવામાં આવશે

Karnavati 24 News

ઝારખંડના સંમેદશીખરજી પાર્શ્વનાથ પર્વતરાજને પર્યટન સ્થળ જાહેર કરતા મોડાસા જૈન સમાજમાં આક્રોશ, કલેક્ટરને આવેદન પત્ર

Admin

ગુજરાત ગેસના CNGથી તોબા, 22 માર્ચે રું. 4.79, 6 એપ્રિલે ફરી રું. 6.45નો વધારો

Karnavati 24 News

ખોખરા પોલીસ સ્ટેશનના પ્રથમ P I કે.એસ. ચૌધરી સાહેબ નું દુઃખદ અવસાન.

Karnavati 24 News