Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

પાટણના સાયન્સ મ્યુઝિયમની દિવાળી તહેવારમાં 30 હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી

પાટણ ના સાયન્સ મ્યુઝિયમની દિવાળી તહેવારમાં 30 હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી પાટણના સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ખાતે સમાલપાટીની સીમમાં રાજ્ય સરકાર દ્વારા 10 એકર જમીન પર અંદાજે 100 કરોડના ખર્ચે પ્રાદેશિક સાયન્સ મ્યુઝીયમની સાથે ડાયનાસોર ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેનુ ગુજરાત સ્થાપના દિવસે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું છે ત્યારે દિવાળીનું વેકેશન પડતાં જ પ્રવાસીઓ પાટણ નજીક સરસ્વતી તાલુકા સેવા સદનની સામે બની રહેલા ડાયનાસોર ગેલેરી જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે હજી પણ પ્રવાસીઓનો ધસારો યથાવત છે ડાયનાસોર ગેલેરી ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરના લોકો તથા પાટણમાં પ્રવાસ અર્થે આવતાં મુસાફરો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે ત્યારે છેલ્લા ત્રણ દિવસમાં 30 હજારથી વધુ પ્રવાસીઓએ પ્રાદેશિક સાયન્સ મ્યુઝીયમ અને ડાયનાસોર ગેલેરીની મુલાકાત લીધી છે તેવું સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું દિવાળી વેકેશન માં પ્રવાસીઓએ મજા માણી પાટણ ના સાયન્સ મ્યુઝિયમની દિવાળી તહેવારમાં 30 હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી ડાયનાસોર ગેલેરી બની આર્કષણ નું કેન્દ્ર બન્યું હતું

संबंधित पोस्ट

ભાવનગર મહાપાલિકા ના સેનેટરી સબ ઈન્સ્પેક્ટર ને સસ્પેન્ડ કરાયા

Admin

અમદાવાદ: બેવડી ઋતુના લીધે વાયરલ ઇન્ફેક્શનમાં ધરખમ વધારો! રાજ્યમાં કોરોનાના કેસ પણ 100ને પાર, જાણો ડોક્ટર્સે શું આપી સલાહ?

Karnavati 24 News

અમદાવાદમાં પ્રિકોશન ડોઝ માટે અર્બન હેલ્થ સેન્ટરો પર AMC દ્વારા શરૂ થઈ વ્યવસ્થા

Admin

એસજી હાઈવેના નવ ટ્રાફિક જંકશન પર સીસીટીવી કેમેરા છે પણ ઓવરબ્રિજ પર નથી

Admin

અમરેલીમાં પોસ્ટલ વિભાગ વિદેશી મોકલાતા પાર્સલ ઘર બેઠા કલેકશન કરશે

Karnavati 24 News

આજે ગુજરાતમાં ટાટા એરબસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે PM મોદી, એરફોર્સ માટે બનાવવામાં આવશે C-295 એરક્રાફ્ટ

Karnavati 24 News