Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

જેના દ્વારા દિલના દ્વાર ખુલે તેને દિવાળી કહેવામાં આવે છે

ગિરનાર તીર્થ ની ગોદમાં આવેલ ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં જૈનાચાર્ય હેમવલ્લભસુરિજી મહારાજની નિશ્રામાં ચતુર્માસની ઉજવણી કરાઈ રહી છે દરમિયાન પદ્મદર્શન વિજયજી મહારાજે કહ્યું હતું કે દિવાળીના દિવસોમાં માત્ર ઘરની સાફ સફાઈ જ કરવાની નથી પણ હૃદયની અંદર રહેલી શ્યામલતાને દૂર કરી શુકલતા ને પ્રાપ્ત કરવાની છે દિવાળી સમયની ઉજવણી પર્વ છે વર્ષ દરમિયાન થયેલી ઉપલબ્ધિઓની ઉજવણીનો આ તહેવાર છે ભારતીય સંસ્કૃતિમાં દિવાળી પર્વ નું મહત્વ અદકેરું છે કેલેન્ડરના ડટ્ટાનું અંતિમ પાનું આજે છે આવતીકાલે એ પણ ખરી જશે જીવનના વર્ષો અને અંતિમ શ્વાસ નીકળી જશે સતકર્મોની પ્રેરણા આપતું પર્વ એટલે દિવાળી સાચી દિવાળીની ઉજવણી અનાથઆશ્રમમાં અશક્તઆશ્રમો અંધજનોના આશ્રમોમાં અને પીડિતોની વહારે જઈને એના મોઢા મીઠા કરાવી થઈ શકે છે દિવાળીના દિવસે પ્રભુ મહાવીર દેવનું નિર્માણ થયું હતું પ્રભુનું નિર્માણ પ્રભુ માટે મુક્તિ છે માટે સારું કહેવાય પણ આપણા હૈયામાંથી પ્રભુનું નિર્માણ ના થવું જોઈએ જૈન માટે આજનો દિવસ આઘાત અને શોકનો દિવસ છે દિનદુખિયા અને જરૂરતમંદોની આતરડી ઠારવી તે દિવાળીની ઉજવણી છે

संबंधित पोस्ट

વડોદરામાં સૈન્ય શસ્ત્રોનું પ્રદર્શ, નજીકથી લોકોએ જાણી આર્મીની તાકાત, મુકાયા આ શસ્ત્રો

Admin

ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જાણો કેટલા કરોડનો થશે ખર્ચ, ગત વખતે કેટલો ખર્ચ કરાયો

Admin

રાજકોટના ડેપ્યુટી મેયર ડૉ. દર્શીતાબેન શાહે મહિલાઓને શું કરી અપીલ ?

Admin

આજે ગુજરાતમાં ટાટા એરબસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે PM મોદી, એરફોર્સ માટે બનાવવામાં આવશે C-295 એરક્રાફ્ટ

Karnavati 24 News

સમગ્ર ગાંધીનગર જિલ્લા મહેસૂલી વિસ્તારમાં બેફામ અને મનસ્વી રીતે લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ

Admin

જુનાગઢ: પોસ્ટના બાંધકામ ખાતાની બંધ ઓફિસમાં બાકોરું પાડી કોમ્પ્યુટર, પંખા, તિજોરીની ચોરી

Karnavati 24 News