Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

સિવિલ જજની ભરતીમાં ઉર્દુ ભાષીઓને પણ કરો શામેલ : અસદુદ્દીન ઓવૈસી

ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન ચીફ અસદુદ્દીન ઓવૈસીએ તેલંગાણાના કાનૂન મંત્રીને પત્ર લખીને ન્યાયપાલિકાથી જોડાયેલી ભરતીમાં ઉર્દુ ભાષીઓને પણ શામેલ કરવાની માંગ કરી છે. ઓવૈસીએ કહ્યું કે તેલંગાણા ઉર્દુ ભાષાનું જન્મ સ્થાન છે. ઉર્દુ રાજ્યની આધિકારિક ભાષા પણ છે.

ઓવૈસીએ રાજ્યના કાનૂન મંત્રી બી જનાર્દન રેડ્ડીને લખેલા પત્રમાં કહ્યું હતું કે રાજ્યમાં 2021 અને 2022 માટે સિવિલ જજના 50 પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. નોટિફિકેશનમાં એપ્લાઇ કરવાવાળા વ્યક્તિ માટે તેલુગુ ભાષા ફાજિયાત રાખવામાં આવી છે. આ સાથે જ 100 માર્કના અંગ્રેજી પેપરમાં તેલુગુથી અંગ્રેજી ભાષાંતરની પણ વાત કરવામાં આવી છે.

નિયમો મુજબ 2017થી ઉર્દુને તેલંગાણામાં અધિકારીક ભાષાનો દરજ્જો મળેલો છે. આ સાથે જ ઉર્દુ રાજ્યની બીજી ઓફિશિયલ ભાષા પણ છે. જેથી રાજ્યના દરેક સરકારી કર્યો માટે તેલુગુની સાથે સાથે ઉર્દુ ભાષાનો પણ ઉપયોગ કરવો જોઈએ તેમ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું.

AIMIMના વડાએ આગળ લખ્યું કે 2018 પહેલા રાજ્યની તમામ શાળાઓમાં તેલુગુ ભાષા ફરજિયાત ન હતી. પહેલા આવું નહોતું. તેથી તેવી અપેક્ષા રાખવી નકામી છેકે અરજી કરવા ઇચ્છુક તમામ ઉમેદવારો તેલુગુજાણકાર હોય.તેલંગાણાનો ઇતિહાસ ઘણી સમૃદ્ધ ભાષાઓથી ભરપૂર છે. 1966થી સંયુક્ત આંધ્ર પ્રદેશમાં તેલંગાણા પ્રદેશની સત્તાવાર ભાષા ઉર્દૂ છે. નોંધનીય છે કે 2020 સુધી રાજ્યમાં તેલુગુની ફરજિયાત અંગે કોઈ શરત નથી. તેથી સિવિલ જજની ભરતી માટે તેલુગુની સાથે ઉર્દૂનો વિકલ્પ પણ સામેલ કરવો જોઈએ.

संबंधित पोस्ट

દેવગઢબારીયા વિધાનસભા ચૂંટણી માટે ત્રી પાંખિયો જંગ જામવા ના એંધાણ : નેતાઓ લોકસપર્ક માં કાર્યરત.

Karnavati 24 News

ગુજરાતની કોર કમિટીમાં લેવાયો નિર્ણય: 22મી સુધી જાહેર કાર્યક્રમોમાં 150 વ્યક્તિઓની રહેશે મર્યાદા

Karnavati 24 News

 ગુજરાત સરકારના માસિક ફાળાની ટકાવારી કેન્દ્ર સરકારના ફાળાની સરખામણીમાં ઓછી હોવાથી કર્મચારીની નિવૃત્તિ બાદ ઘણું ઓછુ પેન્શન મળવાથી જીવનસ્તરમાં પણ ઘટાડો થાય છે

Karnavati 24 News

જૂનાગઢ જિલ્લામાં 23277 નવા મતદારોનો ઉમેરો, કુલ મતદારોની સંખ્યા 12.66 લાખ

Karnavati 24 News

રાજકીય ભૂકંપ-બીટીપી આપ નું ગઠબંધન તૂટ્યું,છોટુ વસાવાએ આપ પર કર્યા પ્રહાર

સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ દ્વારા સૌ પ્રથમ વખત મીડિયા કર્મીઓ સાથે સીધા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Karnavati 24 News