Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો અને સુરત ચાર કાર્યકરોને પાસા હેઠળ જેલમાં મોકલાતા કોંગ્રેસીઓમાં રોષ

બારડોલી: સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારના રોજ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા ઘાતકી હુમલોના વિરોધમાં બારડોલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. પત્રમાં હુમલો કરનારાઓ સામે તાત્કાલિક ધોરણે કાયદાકીય પગલા લેવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત સુરત શહેરના ચાર કોંગી કાર્યકરોને પાસા હેઠળ ધરપકડ કરતા તેના વિરોધમાં પણ કોંગ્રેસીઓએ રજૂઆત કરી હતી. જો આ બંને મુદ્દે યોગ્ય પગલાં નહીં લેવાય તો કોંગ્રેસ પક્ષ દ્વારા આક્રમક કાર્યક્રમો આપવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

 

નવસારી જિલ્લાના ખેરગામ ખાતે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો કરવામાં આવતા આદિવાસીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. હુમલા બાદ કોંગ્રેસ પણ હરકતમાં આવી ગયું છે અને જિલ્લા તેમજ તાલુકા મથકો ઉપર આવેદનપત્ર આપી ઘટનાને વખોડવામાં આવી રહી છે. સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારના રોજ બારડોલીના નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આદિવાસીઓમાં લોકચાહના મેળવી રહેલા ધારાસભ્ય અનંત પટેલનો વિજય નિશ્ચિત હોય કથિત રીતે નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહિર દ્વારા આ હિચકારો હુમલો કરવામાં આવ્યો છે. ભાજપના નેતાઓ હવે ચૂંટણીમાં વિજય મેળવવા પ્રજા ઉપર ધાક જમાવવા માટે આવી નિમ્ન સ્તરે રાજનીતિ આચરી રહ્યા છે જેને કોંગ્રેસ સખત શબ્દોમાં વખોડે છે.

કોંગ્રેસ દ્વારા આ ઘટના અંગે તાકીદે તપાસ કરાવી દોષિતો સામે કડક કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે ભાજપ દ્વારા પોલીસ તંત્રનો બેફામ દુરુપયોગ કરી સુરત શહેર કોંગ્રેસ દ્વારા યોજાયેલ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના ચાર કાર્યકર્તાઓને પાસા હેઠળ સુરત જિલ્લાની બહાર જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. ત્યારે આવી ગેરબંધારણીય અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૯મી સપ્ટેમ્બરના રોજ સુરતની મુલાકાતે આવ્યા હતા તે સમયે લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા રાજકીય દબાણ લાવી કોંગ્રેસ કાર્યકરો ઉપર પાયા વિહોણા છેડતીના આરોપ લગાવી ફરિયાદ ઊભી કરવામાં આવી હતી. આ મામલે શહેર કોંગ્રેસના આશિષ રાય, ગુલાબ યાદવ, કિશોર શિંદે અને સંતોષ શુક્લની સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ ચારેયને પાસા હેઠળ જિલ્લા બહાર અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ બંને ઘટનાને લઇ જિલ્લા કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ મામલે યોગ્ય તપાસની સાથે  આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

संबंधित पोस्ट

ચીનનું જહાજ શ્રીલંકા પહોંચતા ભારતે જાસૂસીની આશંકા વ્યકત કરી હતી

Karnavati 24 News

ધર્માંતરણ મામલે ગાળિયો ભીંસાયો:આમોદના કાંકરિયાના પ્રકરણમાં વધુ 6 આરોપીની ધરપકડ, 10 ઝડપાયા; 150 આદિવાસી હિન્દુનું ધર્માંતરણ કરાવ્યું હતું

ઝૂંપડપટ્ટી વસાહતની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર

Karnavati 24 News

ચૂંટણી પરિણામો વચ્ચે સંસદ ભવનમાં બેઠકની રાહ જોતા રહ્યા કોંગ્રેસના સાંસદો, જન્મદિવસ ઉજવવા રાજસ્થાનના રિસોર્ટ ચાલ્યા ગયા સોનિયા ગાંધી

Admin

ભાજપે સંકલ્પ પત્રમાં આપ્યા મોટા 30 વચનો – ખેડૂત, મહિલા, યુવા ઉપરાંત આરોગ્ય સેવાને મહત્વ

Admin

ઉદ્ધવને વધુ એક ઝટકો! CAG કરશે BMCની બે વર્ષની તપાસ, શિંદેનો આદેશ

Admin