Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

PRESS NOTE : સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર અને એડવોકેટ ઓન રેકોર્ડ ભરત ઠાકોરલાલ મનુબરવાલાએ મનુબરવાલા શાહ મહેતા પાર્ટનર્સ LLP (MSM પાર્ટનર્સ), એડવોકેટ્સ, સોલિસિટર અને એડવોકેટ્સ ઓન રેકોર્ડ લોન્ચ કર્યું

સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર અને એડવોકેટ ઓન રેકોર્ડ ભરત ઠાકોરલાલ મનુબરવાલાએ મનુબરવાલા શાહ મહેતા પાર્ટનર્સ LLP (MSM પાર્ટનર્સ), એડવોકેટ્સ, સોલિસિટર અને એડવોકેટ્સ ઓન રેકોર્ડ લોન્ચ કર્યું. પાંચ દાયકાના અનુભવ સાથે શ્રી મનુબરવાલા ભારતના અગ્રણી કોર્પોરેટ અને કોમર્શિયલ લૉ પ્રેક્ટિશનર છે.

MSM પાર્ટનર્સ એ મુંબઈ ખાતે રાજગીર ચેમ્બર્સ ખાતેની તેની મુખ્ય કચેરી અને નવી દિલ્હી ખાતે ડિફેન્સ કોલોની ખાતેની કોર્પોરેટ ઓફિસમાંથી કાર્યરત સંપૂર્ણ કદની કાયદાકીય પેઢી છે. ચંદીગઢ, શિમલા અને વિજયવાડા ખાતે MSM પાર્ટનર્સની બ્રાન્ચ ઓફિસ છે, જયારે કોલકાતા, ચેન્નાઈ અને અમદાવાદ ખાતે એસોસિએટ ઓફિસ આવેલી છે. આ લૉ ફર્મ મુકદ્દમા અને કોર્પોરેટ-કોમર્શિયલ સલાહકાર સહીત એન્ડ-ટુ-એન્ડ લીગલ સર્વિસ અને નોન-લિટીગેશનમાં સંલગ્ન સેવાઓ પ્રદાન કરે છે.

શ્રી હર્ષુલ અનિલકાંત શાહ (ભૂતપૂર્વ વાડિયા ગાંધી એન્ડ કંપની), એડવોકેટ અને સોલિસિટર, અને ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ, શ્રીમતી સર્વજ્ઞા ભરત મનુબરવાલા (સર્વજ્ઞા પ્રતાપરાય ત્રિવેદી) વકીલ બોમ્બે હાઈકોર્ટ, શ્રી આદિત્ય ભરત મનુબરવાલા, એલએલએમ, કેમ્બ્રિજ યુનિવર્સિટી અને કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના કાઉન્સેલ અને શ્રી નિસર્ગ રાજેશ મહેતા, કોર્પોરેટ વકીલ એમએસએમ પાર્ટનર્સ સાથે સહ-સ્થાપક અને ભાગીદારો તરીકે જોડાયા. શ્રી વિજય કુમાર અરોરા, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસના વરિષ્ઠ સ્ટેન્ડિંગ કાઉન્સેલ અને શ્રીમતી શૈલા અરોરા, સુપ્રીમ કોર્ટમાં હિમાચલ પ્રદેશના સ્ટેન્ડિંગ કાઉન્સેલ, ઑફ-કાઉન્સેલ તરીકે લૉ ફર્મમાં જોડાયા.

શ્રી હર્ષુલ શાહ તમામ શાખાઓમાં ફર્મ્સ કોર્પોરેટ કાયદા વિભાગના વડા છે અને તેમને શ્રી નિસર્ગ મહેતા દ્વારા મદદ કરવામાં આવે છે. શ્રી આદિત્ય મનુબરવાલા શ્રીમતી સર્વજ્ઞા મનુબરવાલા સાથે તમામ શાખાઓમાં ફર્મ્સ લિટીગેશન પ્રેક્ટિસનું નેતૃત્વ કરે છે.

મુકદ્દમામાં કંપનીઓના પ્રેક્ટિસના ક્ષેત્રમાં જાહેર અને બંધારણીય કાયદો, બેંકિંગ કાયદો, કોર્પોરેટ કાયદા, નાદારી અને બૅન્કરપ્સી કોડ, નાગરિક અને વાણિજ્ય કાયદો, ઉર્જા કાયદો, ગ્રાહક અને વીમા કાયદો, વ્હાઇટ કોલર ગુનાઓ, પર્યાવરણીય કાયદો, સેવા અને શ્રમ કાયદો, રિયલ એસ્ટેટ અને પ્રોપર્ટી કાયદો, સેબી, વીજળીના કાયદા, આર્બિટ્રેશન વગેરેનો સમાવેશ થાય છે.

નોન-લિટીગેશનમાં કંપનીઓના પ્રેક્ટિસના ક્ષેત્રમાં કરારોનો મુસદ્દો તૈયાર કરવો, ચકાસણી કરવી અને વાટાઘાટો કરવી સહિત રોકાણના કરારો, વ્યાપારી કરારો, સ્ટાર્ટ-અપ કોન્ટ્રાક્ટ્સ, પ્રોપર્ટી દસ્તાવેજીકરણ, વિકાસ અને પુનઃવિકાસ દસ્તાવેજો, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રોજેક્ટ્સ અને સંબંધિત કરાર અને દસ્તાવેજો, ટેસ્ટામેન્ટરી દસ્તાવેજો જેમ કે વિલ, વારસાના આયોજન અને પરામર્શ વિવાદોનો સમાવેશ થાય છે.

એસ્સાર ગ્રૂપ, ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી એન્ડ સન્સ રિટેલ પ્રાઇવેટ લિમિટેડના CIRP નું સંચાલન કરતા તેના ભાગીદારો પૈકીના એક સાથે આ પેઢીએ IBC બાબતોમાં વિશેષતા મેળવી છે. આ પેઢી રિયલ એસ્ટેટ કાયદામાં પણ નિષ્ણાત છે જેમાં ટાઇટલ સર્ચ, ડ્યૂ-ડિલિજન્સ, ડીમ્ડ કન્વેયન્સ અને તમામ પ્રોપર્ટી વ્યવહાર સંબંધિત સેવાઓનો સમાવેશ થાય છે.

संबंधित पोस्ट

कारागार विभाग में बंदीरक्षक के 238 पदों पर निकली भर्ती।

Admin

સરકાર ખેડૂતો, મહિલાઓ અને SC-STને ડ્રોન ખરીદવા માટે 50% સબસિડી આપશ

Karnavati 24 News

UP: कभी ढूंढे नहीं मिलते थे अब अचानक हमीरपुर की सड़कों पर नजर आ रहे हैं ब्लैक बक, रंग लाई वन विभाग की ये पहल

Karnavati 24 News

Jugjug Jio: ‘द पंजाबन सॉन्ग’ पर मनीष मल्होत्रा ने नीतू कपूर के साथ किया डांस, वीडियो पर करण जौहर का रिएक्शन

Karnavati 24 News

India Post Recruitment 2022:- एमवी मैकेनिक के पदों पर निकली भर्तियां। अधिक जानकारी के लिए नीचे क्लिक करें।

Karnavati 24 News

Tata Institute Of Social Sciences में पार्ट टाइम जॉब के पदों पर निकली भर्तियां

Karnavati 24 News