Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

ઓસ્ટ્રેલિયા સામે અંતિમ ટી-20 મેચ પહેલા બીમાર હતો સૂર્યકુમાર યાદવ, મેચ પછી કર્યો ખુલાસો

ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ T20I સીરિઝની ડિસાઇડર મેચ પહેલા બીમારીનો સામનો કર્યો હતો પરંતુ તેને હરાવ્યા બાદ તેમણે ઓસ્ટ્રેલિયાને હરાવવાનો પ્લાન બનાવ્યો હતો. મેચ બાદ તેમણે ખુલાસો કર્યો કે તેમણે ડૉક્ટર અને ફિઝિયોને તેમણે દવા અથવા ઇન્જેક્શન આપવા કહ્યુ હતુ પરંતુ તેમણે હૈદરાબાદમાં ત્રીજી મેચ માટે તૈયાર કરવા માટે પણ કહ્યુ હતુ.

સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવીને ટી-20 શ્રેણી 2-1થી જીતવામાં મદદ કરી હતી. સૂર્યકુમાર યાદવે વિરાટ કોહલી સાથે ત્રીજી વિકેટ માટે 104 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી જેનાથી ભારતને શરૂઆતના પતનમાંથી બહાર ઉગારવામાં મદદ કરી હતી. અક્ષર પટેલે બીસીસીઆઇનો એક વીડિયોમાં સૂર્યકુમાર યાદવને સવાલ કર્યો કે ફિઝિયો રૂમમાં દરેક કોઇ તેમના વિશે કેમ વાત કરી રહ્યો હતો અને તે સવારે 3 વાગ્યે કેમ ઉઠ્યા?

અક્ષર પટેલને જવાબ આપતા સૂર્યકુમાર યાદવે કહ્યુ, ગત રાત્રે હવામાન બદલાઇ ગયુ હતુ અને મુસાફરીમાં પણ બદલાવ આવ્યો છે. આ બધાને કારણે મને પેટમાં દુખાવો થયો હતો અને પછી તાવ પણ આવ્યો હતો પરંતુ સાથે મને ખબર હતી કે આ એક નિર્ણાયક મેચ હતી, માટે મે પોતાના ડૉક્ટર અને ફિઝિયોને કહ્યુ કે જો વર્લ્ડકપ ફાઇનલ હોત તો હું કેવી રીતે રિએક્ટ કરીશ? હું બીમારી સાથે બહાર બેસવા માંગતો નહતો, તો તમારે જે પણ કરવુ પડે કરો, મને કોઇ દવા અથવા ઇન્જેક્શ આપો, પરંતુ મને સાંજની મેચ માટે તૈયાર કરો. એક વખત જ્યારે હું (ભારત) જર્સીમાં મેદાન પર હોઉં છુ તો મારી માટે એક અલગ ઇમોશન હોય છે.

મહત્વપૂર્ણ છે કે સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયા સામે હૈદરાબાદમાં રમાયેલી મેચમાં 69 રનની ઇનિંગ રમી હતી અને ભારતને મેચ જીતાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

संबंधित पोस्ट

સુરતમાં ચેસ ઓલમ્પિયાડ મસાલના આગમન સાથે શતરંજમા એક વિશ્વ વિક્રમ બન્યો

Karnavati 24 News

Govind Namdev to return with Radhe Your Most Wanted Bhai: ‘Salman Khan comes with a lot of positivity’

Admin

BCCI: ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે રોહિત શર્માનુ નામ નિશ્વિત! શ્રીલંકા સામે ઘરેલુ સિરીઝ માટે આગામી સપ્તાહે થશે એલાન

Karnavati 24 News

U19 World Cup: બાંગ્લાદેશ સામે થશે ટક્કર, જાણો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની ભારતની સ્ટોરી

Karnavati 24 News

SRHની હાર માટે વિલિયમસન દોષિત: દિલ્હી સામે 40થી ઓછો સ્ટ્રાઈક રેટ, ટુર્નામેન્ટની 10 ઇનિંગ્સમાં માત્ર 1 અડધી સદી ફટકારી

IPL 2022: પંજાબ કિંગ્સ શિખર ધવન નહી આ સ્ટાર બેટ્સમેનને બનાવશે કેપ્ટન, જેને ટીમે 12 કરોડમાં રિટેન કર્યો હતો

Karnavati 24 News