Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

અમદાવાદમાં કોંગ્રેસની સંકલ્પ પરીવર્તન પદયાત્રામાં ઓછી હાજરી વચ્ચે ફિક્કો પ્રતિસાદ, કોંગ્રેસના કેટલાક હોદ્દેદારો જ ગાયબ

કોંગ્રેસ દ્વારા સંકલ્પ પરીવર્તન પદયાત્રાનું આયોજન કરાયું છે. ત્યારે પાંખી હાજરી વચ્ચે આ યાત્રાની શરુઆત થઈ હતી. કેમ કે, કોંગ્રેસના કેટલાક હોદ્દેદારો જ વહેલા જોવા નહોતા મળ્યા.

અમદાવાદમાં આ સંકલ્પ યાત્રાની શરૂઆત નારણપુરા વિસ્તારથી થઈ હતી જ્યાં શાસ્ત્રીનગરથી જ નબળો પ્રારંભ જોવા મળ્યો હતો. વોર્ડ સમિતિના કેટલાક હોદ્દેદારો આ પદયાત્રામાં સમયસર ત્યાં દેખાયા નહોતા. પાંખી હાજરી અમદાવાદમાં આ પરીવર્તન સંકલ્પ યાત્રા નિકળી હતી.

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં તો જોવા મળી છે પરંતુ આજે અમદાવાદમાં ઓછી હાજરી આ કાર્યક્રમમાં જોવા મળી હતી. એક પછી એક ચૂંટણીલક્ષી તૈયારીઓ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા પદયાત્રા પણ યોજવામાં આવી છે.

રાહુલ ગાંઘીનો ગુજરાત પ્રવાસ આગામી દિવસોમા યોજાઈ રહ્યો છે ત્યારે આ પહેલા જ કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. કોંગ્રેસ દ્વારા આવતી કાલે પણ વિવિધ વિધાનસભામાં આ પદાયાત્રા યોજવામાં આવશે. 33માંથી 16 વિધાનસભામાં પદયાત્રાનું આયોજન અત્યાર પુરતુ કોંગ્રેસે કર્યું છે. આ બે દિવસમાં 16 વિધાનસભામાં બેઠકમાં 5 થી 7 કિમી તમામ વિધાનસભામાં કાર્યકરો ચાલશે.

संबंधित पोस्ट

Govind Namdev to return with Radhe Your Most Wanted Bhai: ‘Salman Khan comes with a lot of positivity’

Admin

ભારતે પેંગોંગ તળાવ પર પુલના નિર્માણનો વિરોધ કર્યો, ચીને કહ્યું કે પ્રાદેશિક સાર્વભૌમત્વના રક્ષણ માટે કામ કરવામાં આવી રહ્યું છે

Karnavati 24 News

 સુરતના ગોદાવાડી ગામે પ્રગતિશીલ યુવા ખેડૂતોએ અપનાવી મલ્ટીલેયર ફાર્મિંગ પદ્ધતિ, બે એકર જમીનમાં 10 પાક ઉગાડી 10 લાખની આવક ઊભી કરી

Karnavati 24 News

 હળવદના ચરાડવા નજીક એસટીના ચાલકે મોટર સાઈકલને હડફેટે લેતા આધેડનું મોત

Karnavati 24 News

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનુ ભાંડુત ગામ ગુજરાતનું સૌપ્રથમ ડિઝલપંપમુકત ગામ બન્યું

Karnavati 24 News

 પાટણની એમ. કે. શૈક્ષણિક સંકુલ ખાતે એઈડ્સ જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો

Karnavati 24 News