Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

પીએમ મોદીએ કહ્યું, જેને કચ્છ નથી જોયો તેને કંઈ નથી જોયું, કચ્છની લિજ્જતદાર દાબેલી અને ખારેકના કર્યા વખાણ

જેને કચ્છ નથી જોયો તેને કંઈ નથી જોયું. આ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છમાં યોજાએલા વિવિધ ઉદઘાટન કાર્યક્રમમાં કહી હતી. આ સાથે તેમણે કહ્યું કે, કચ્છ ક્ષેત્રે દરેક માટે આકર્ષી રહ્યું છે. અહીં મોટી સંખ્યામાં ટુરીઝમ આવી રહ્યું છે. એશિયાનો ઈકોનોમિક ઝોન કચ્છમાં છે. તેમ પીએમએ કહ્યું હતું.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી  મોદીએ ભુજમાં 4,400 કરોડના વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવાના છે. સાથો સાથ 470 એકર વિસ્તારમાં બનાવવામાં આવેલા સ્મૃતિવનનું ઉદધાટ કર્યું હતું. જેમાં 1745 કરોડના ખર્ચે બનેલ કચ્છ નહેરનો સમાવેશ થાય છે.
ભૂજના યુનિવર્સિટી ગ્રાઉન્ડથી વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ઉદઘાટન વડાપ્રધાને કર્યા હતા. જેમાં અંજારના વીર બાળક સ્મારકનું લોકાર્પણ કર્યું હતું. સોલાર સંચાલિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. 190 કરોડના પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું જે પ્લાન્ટ થકી મોટી વીજળી ઉત્પાદન કરશે. આ સાથે સ્મૃતિ વનનું લોકાર્પણ પણ કર્યું હતું.

વડાપ્રધાને સ્મૃતિવન મેમોરિયલમાં વિજ્ઞાન સેન્ટરમાં જઈ તેમણે ઝાંખી નિહાળી હતી. સ્મૃતિવન મેમોરિયલનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ તેમાં બનાવેલા વિજ્ઞાન સેન્ટરની મુલાકાત લીધી. તેના અલગ અલગ પ્રકલ્પોની ઝાંખી વડાપ્રધાને નિહાળી હતી.

ભૂકંપ પછી ઊભા થયેલા કચ્છે પોતાને જ નહીં સમગ્ર ગુજરાતને ગતિ આપી છે. વડાપ્રધાને જણાવ્યુ કે, કચ્છની દાબેલી, ભેળપુરી, છાશ અને ખારેક દુનિયાભરમાં વખણાય છે. કચ્છમાંથી અનેક ફળ આજે વિદેશ સુધી મીઠાશ ફેલાવી રહ્યા છે. વડાપ્રધાને કહ્યુ કે, તેમાં કચ્છના કમલમ ફ્રુટની પણ બાદબાકી ન થઇ શકે. તેમ વડાપ્રધાને તેમના ઉદબોધનમાં આ વાત કહી હતી. જેની સાથે કચ્છ વાસીઓએ તાળીઓના ગળગળાટથી વડાપ્રધાનની આ વાતને વધાવી લીધી અને મોદી મોદી શબ્દો ગૂંજતા જોવા મળ્યા હતા.

संबंधित पोस्ट

 જીતન રામ માંઝીની જીભ કાપનારાને 11 લાખ ઇનામની જાહેરાત કરનારાને ભાજપે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા

Karnavati 24 News

કોંગ્રેસ દ્વારા લિંબાયત અને ટેકસટાઇલ માર્કેટો અને સુરતના તમામ અલગ અલગ વિસ્તારોમાં દુકાનદારો ને મળી સાંકેતિક બંધ નું એલાન

હાર્દિકે કોંગ્રેસ છોડી દીધીઃ સોનિયાને પત્ર લખ્યો

Karnavati 24 News

સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ દ્વારા સૌ પ્રથમ વખત મીડિયા કર્મીઓ સાથે સીધા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Karnavati 24 News

ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના બે સભ્યો ભ્રષ્ટાચાર મુદ્દે રાજીનામાં આપ્યા તેને કોર્પોરેટર પદેથી પણ હટાવવામાં આવે તેવી માંગ .

Karnavati 24 News

Nitish after taking oath as Bihar CM: ‘PM Modi won in 2014, but will he…’