Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

અરવિંદ કેજરીલાને પોલીસની દિકરીએ લખ્યો પત્ર, કેજરીવાલે વાંચ્યા બાદ ગુજરાત પ્રવાસમાં કહી આ વાત

અરવિંદ કેજરીલાને પોલીસની દિકરીએ પત્ર લખ્યો હોવાની વાતનો ઉલ્લેખ ગુજરાત અમદાવાદ પ્રવાસ દરમિયાન કેજરીવાલે કર્યો હતો. ત્યારે આ પત્ર વાંચતા પહેલા ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, પોલીસ ગ્રેડ પે બાબતે પોલીસ જવાનોમાં પીડા છે. સરકારના લોકો દ્વારા દબાવવામાં આવે છે અને તેમાં પોલીસ પરીવારની એક દિકરીએ કેજરીવાલને પત્ર લખ્યો છે.

જેમાં ઉલ્લેખ કરાયા મુજબ, આપ પર અમને અને સમગ્ર ભારતને ગર્વ છે. ગુજરાત પોલીસની નોકરી, પગાર તેના ભથ્થા, કામના કલાકોના દુરુપયોગ કરી આ વિશે માહિતી પ્રાપ્ત કરશો. સમગ્ર ભારતમાં ગુજરાત પોલિસની શું સ્થિતિ છે. 2023માં આપ પાર્ટીની સરકાર બનવાની છે. ત્યારે આપ ગુજરાત પોલીસને ન્યાય અપાવશો અમને હવે માત્ર આપ પર ભરોસો રહ્યો છે. આપ સત્યના ભેખ ધારી છો. પોલીસની નાનકડી દીકરીના વંદન. એમ આ પ્રકારની વિગતો પત્રમાં ઉલ્લેખ કરાઈ હતી.  ત્યારે અરવિંદ કેજરીવાલે આ મામલે કહ્યું કે, તમે આ દિકરીના પત્રને સાંભળ્યો તમે અમારી પર મોટો વિશ્વાસ બતાવ્યો છે. તમે અમને પત્ર લખ્યો છે.
તમારા વિશ્વાસને અમે તૂટવા નહીં દઈએે. હું ગુજરાતના પોલીસ કર્મીઓને કહેવા માંગું છું કે, તમે પોતાની રીતે નોકરીના ખતરામાં રાખ્યા વિના આપ પાર્ટીને સરકાર બનાવવા માટે દમ બતાવ્યો છે. ગુજરાતમાં 20 હજાર પોલીસ કર્મચારીને પગાર આપવામાં આવે છે. સૌથી ઓછી સેલેરી ગુજરાત પોલીસની છે. સૌથી બેસ્ટ સેલેરી અમે આપીશું. ગુજરાત પોલીસને સારી સેલરી આપીશું ગુજરાતમાં તમે જ્યાં પણ છો કામ કરતા રહો. આમ આદમી પાર્ટીની સરકાર બનાવવામાં અમને મદદ કરતા હોય.

संबंधित पोस्ट

29મીના રોજ ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા સ્ટેડિયમનું કરશે ઉદ્ધાટન, કુલ પાંચ તબક્કામાં કરાઈ છે વ્યવસ્થા

Karnavati 24 News

સુપ્રીમ કોર્ટની નુપુર શર્માને ફટકાર, કોર્ટે ટીવી પર જઈને માફી માંગવા કહ્યું

Karnavati 24 News

વર્ષ 2007 કે તે પહેલા જન્મેલા કિશોરો જ કોરોનાની વેક્સિનનો ડોઝ લઈ શકશે

Karnavati 24 News

उत्तराखंड सीटों पर मतगणना जारी, सामने आ रहे रुझानों में भाजपा इतनी सीटों पर आगे

Karnavati 24 News

 મહેસાણા જિલ્લામાં કોરોનાની સ્થિતિની સમીક્ષા મુદ્દે આજે જિલ્લા પ્રભારી મંત્રી એ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ભાજપ સંગઠન સાથે તબક્કાવાર બેઠકો યોજી

Karnavati 24 News

વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયામાં સ્વામિનારાયણ ગુરુકુળ જેવી સંસ્થાઓનું મહત્વનું પ્રદાનઃ

Karnavati 24 News