Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

વિન્ડીઝ સામે જીત બાદ પણ આ વાતથી ખુશ ના થયો ગબ્બર, મેચ પછી કર્યો ખુલાસો

ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડીઝને તેના ઘરમાં ત્રીજી વન ડે મેચમાં ડકવર્થ લુઇસ નિયમ હેઠળ 119 રનથી હરાવ્યુ હતુ. આ રીતે સીરિઝમાં 3-0થી ક્લીન સ્વિપ કર્યુ હતુ. ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટન્સી કરનારા શિખર ધવને કહ્યુ કે ટીમ ઘણી યુવા છે પરંતુ તે અનુભવી ખેલાડીની જેમ રમ્યા. મેદાન પર તેમણે મુશ્કેલીમાંથી બહાર આવતા શીખી લીધુ છે. જોકે, આ શાનદાર જીત બાદ પણ ‘ગબ્બર’ એટલે કે કેપ્ટન શિખર ધવન ખુશ નહતો.

શિખર ધવન આ વાતનો ખેદ રહ્યો છે શુભમન ગિલ બે રનથી પોતાની સદી ચુકી ગયો. ગિલ 98 રન બનાવીને રમી રહ્યો હતો ત્યારે વરસાદને કારણે રમતને રોકવી પડી હતી અને ભારતની ઇનિંગ ત્યા જ સમાપ્ત થઇ હતી. આ રીતે શુભમન ગિલ અણનમ 98 રન બનાવીને પરત ફર્યો હતો.

ખુદના પ્રદર્શનથી પણ ખુશ છે ગબ્બર

મેચ બાદ ધવને કહ્યુ, મે અનુભવ કર્યો કે ટીમ ઘણી યુવા છે પરંતુ તે અનુભવી ખેલાડીની જેમ રમ્યા. મેદાન પર તેમણે મુશ્કેલીમાંથી બહાર આવતા શીખી લીધુ છે. આ અમારી માટે પણ સારી વાત છે. હું પોતાના ફોર્મથી થોડો ખુશ છું. હું આ ફોર્મેટમાં ઘણા લાંબા સમયથી રમી રહ્યો છું, હું પોતાના પ્રદર્શનથી ખુશ છુ.

શુભમન ગિલની ઇનિંગ જોવા લાયક હતી

ગિલ પર વાત કરતા શિખર ધવને કહ્યુ, જે રીતે શુભમન ગિલે 98 રનની ઇનિંગ રમી, તે જોવા લાયક હતી. બાકી યુવાઓએ પણ જે રીતની રમત બતાવી તે પણ અદભૂત હતી. ગિલ માટે ખરાબ લાગે છે પરંતુ ક્રિકેટમાં આવુ કેટલીક વખત થાય છે. જે રીતે તેને ઇનિંગ રમી તે પ્રશંસાને પાત્ર હતી. ટીમના બોલર સિરાજ, અક્ષર, ચહલ અને શાર્દુલે પણ પોતાનું 100 ટકા યોગદાન આપ્યુ છે.

શુભમન ગિલને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સીરિઝ જાહેર કરવામાં આવ્યો હતો. ગિલે ત્રીજી વન ડે મેચમાં 98 રન બનાવવાની સાથે આખી સીરિઝમાં 208 રન બનાવ્યા હતા.

संबंधित पोस्ट

Shaheed Bhagat Singh Football Cup: આ મોટા ફૂટબોલ ટુનામેન્ટનું આયોજન કરશે કેજરીવાલ સરકાર

Karnavati 24 News

Pakistan Vs England T20 WC Final: ઇગ્લેન્ડે બીજી વખત જીત્યો ટી-20 વર્લ્ડકપ, પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું

Karnavati 24 News

ઉમરાન મલિકને તક મળવી મુશ્કેલઃ જાણો દક્ષિણ આફ્રિકા સામે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન કઈ હોઈ શકે?

Karnavati 24 News

Women Cricket Team: પૂર્વ કેપ્ટને વિશ્વકપ પહેલા ઓપનર શેફાલી વર્માને લઇ કહ્યુ, ટીમમાં સ્થાન બચાવવુ હશે તો રન બનાવવા પડશે

Karnavati 24 News

ટી-20 વર્લ્ડકપ ટીમમાં હર્ષલ પટેલની જગ્યા પર સંજય માંજરેકરે ઉઠાવ્યા સવાલ

હાર્દિક પંડ્યાને ભારતીય ટેસ્ટ ટીમમાં તક મળવી જોઇએ, પૂર્વ દિગ્ગજ ખેલાડીનું નિવેદન

Karnavati 24 News