Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

રાજ્યના નાગરિકોની સલામતી માટે કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે ચાર ટેકનોલોજી આધારિત સુવિધાઓનું લોકાર્પણ..

રાજ્યના નાગરિકોની સલામતી માટે કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે ચાર ટેકનોલોજી આધારિત સુવિધાઓનું લોકાર્પણ..
ગુજરાત પોલીસના ‘સીટીઝન ફર્સ્ટ’ એપ અને પોર્ટલ ઉપર e-FIR સેવા ઉપલબ્ધ કરાઈ e-FIRની જાણ CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને થઈ જશે ચોરાયેલા વાહનનો નંબર CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલમાં ફલેશ થતાં ગુનો ત્વરિત ડિકેક્ટ થઈ શકશે….CCTV કેમેરા આધારિત સર્વેલન્સ સિસ્ટમ માટે રાજ્ય કક્ષાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-ત્રિનેત્ર ખુલ્લું મૂકાયું…રાજ્યમાં માનવ તસ્કરી અને બાળ તસ્કરી સહિતના ગુનાઓ પર અંકુશ લાવવા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ માટે ૮૦ વાહનોનું ફ્લેગ ઓફ કરાયું તો ગુજરાત પોલીસને આપવામા આવેલા ૧૦,૦૦૦ બોડી વોર્ન કેમેરાનું ₹ અમિત શાહ દ્વારા રાજ્ય વ્યાપી રોલ આઉટ કરવામાં આવ્યું…
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે ગાંધીનગરથી ગુજરાત પોલીસના ‘સીટીઝન ફર્સ્ટ’ એપ અને પોર્ટલ ઉપર e-FIR સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તે ઉપરાંત CCTV કેમેરા આધારિત સર્વેલન્સ સિસ્ટમ માટે રાજ્ય કક્ષાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-ત્રિનેત્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તો બીજી તરફ રાજ્યમાં માનવ તસ્કરી અને બાળ તસ્કરી સહિતના ગુનાઓ પર અંકુશ લાવવા અને આવા ગુનાઓનું ઝડપી ડિરેકશન થાય તેવા ઉદ્દેશ સાથે લાવવા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ માટે ૪૦ – જીપ અને ૪૦ બાઈક મળી કુલ -૮૦ વાહનોનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. એટલું જ નહિ, ગુજરાત પોલીસને આપવામાં આવેલા ૧૦,૦૦૦ બોડી વોર્ન કેમેરાનું અમિત શાહ દ્વારા રાજ્ય વ્યાપી રોલ આઉટ કરવામાં આવ્યું હતું અમિત શાહ એ કહ્યું કે સીસીટીવી કેમરા ગુજરાત.મા વધારવા માટેની સૂચન કરાયું…. રેલવે સ્ટેશન, સોસાયટી, યાત્રાધામ, બધા જ કેમરા નું એક્સેસ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ ખાતે જોડવામાં આવે…
*શું છે e-FIR પ્રણાલી?*
વાહન ચોરી અને મોબાઇલ ચોરી જેવા બનાવોમાં નાગરિકોની ફરિયાદ દાખલ કરવામાં વિલંબ ન થાય અને આવી ફરિયાદ કરવા માટે નાગરિકોને પોલીસ સ્ટેશનોના ધક્કા ન ખાવા પડે તે માટે e-FIRની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. રાજ્યના નાગરિકોએ આ સેવાનો ઉપયોગ કરવા માટે ગુજરાત પોલીસના ‘સીટીઝન ફર્સ્ટ’ એપ અથવા પોર્ટલ ઉપર જવાનું રહેશે અને તેમાં e – FIR કરવાની રહેશે. e – FIR નોંધાયાના ૪૮ કલાકમાં પોલીસ ફરીયાદીનો સંપર્ક કરશે અને વાહન ચોરી / મોબાઇલ ફોન ચોરીના બનાવની જગ્યાની મુલાકાત લેશે તથા ૨૧ દિવસની અંદર જ તપાસ પૂર્ણ કરી કોર્ટમાં રીપોર્ટ મોકલશે.
આ ઓનલઈન ફરીયાદ નોંધાયા અંગેની તથા તપાસમાં થયેલ પ્રગતિની જાણ પણ ફરીયાદીને Email / SMS થી કરવામાં આવશે. સાથે – સાથે પોલીસ દ્વારા વીમા કંપનીને પણ Email / SMS દ્વારા જાણ કરાશે જેથી ફરીયાદીને તેના વાહન / મોબાઇલ ચોરી અંગેના વીમાનો ક્લેઈમ સરળતાથી મળી શકે. e – FIR ઓનલાઈન સેવા હોવાથી લોકોને પોલીસ સ્ટેશન જઈ ફરીયાદ નોંધાવાની જરૂર નહી રહે. નાગરિકોના સમયનો બચાવ થશે અને ફરીયાદોનો ત્વરીત નિકાલ થશે. આમ, ટેક્નોલોજી આધારિત આ ફેસલેસ વ્યવસ્થાથી નાગરિકોની સુગમતામાં વધારો થશે અને વધુ ઝડપથી અને વધુ પારદર્શી રીતે પોલીસ સેવા લોકો સુધી પહોંચાડી શકાશે.
હાલમાં પણ ઘરઘાટીની નોંધણી, ભાડુઆતની નોંધણી, ગુમ વ્યક્તિની જાણ, અલગ પ્રકારના લાઇસન્સ જેવી અનેક પ્રકારની પોલીસ સેવાઓની ઓનલાઇન કામગીરી માટે ગુજરાત પોલીસના ‘સીટીઝન ફર્સ્ટ’ એપ અને પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે. જેમાં વધુ એક સેવા એવી e- FIR નો ઉમેરો થયો છે. e – FIR સેવાનું રાજ્ય કક્ષાના CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે સંકલન કરવામાં આવેલ છે. જેથી e – FIR નોંધાય એટલે તેની જાણ CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને થાય છે. જેથી બાદમાં જ્યારે પણ ચોરાયેલ વાહનો કોઈ ગુનેગાર લઈને જાહેર રસ્તા પરથી પસાર થતાં હોય ત્યારે તે વાહન નંબર CCTV કમાંડ એન્ડ કંટ્રોલ ખાતે તરત જ ફલેશ થશે અને તેના થકી ચોરીનું વાહન અને આરોપીની ઓળખ થઇ શકવાથી ગુનો જલ્દી ઉકેલી શકશે.

संबंधित पोस्ट

અમદાવાદમાં સેન્સ પ્રક્રીયામાં આજે ઘાટલોડિયા બેઠક પરથી માત્ર એક જ નામ ભૂપેન્દ્ર પટેલનું સામે આવ્યું

Admin

કોંગ્રેસના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષે આમ આદમી પાર્ટીને ભાજપની B ટીમ ગણાવી . . .

Karnavati 24 News

નેતાઓના સંતાનોને ભાજપ ટિકિટ નહીં આપેઃ નડ્ડાએ કહ્યું- પિતા પ્રમુખ અને પુત્ર મહાસચિવ, પરિવારવાદની આ નીતિ ભાજપમાં નહીં ચાલે

Karnavati 24 News

પહેલા તબક્કાની ચૂંટણી માટે આજે સાંજે થશે પ્રચાર પડઘમ શાંત

Admin

ખાંભા : રબારીકા ગામે વંદે ગુજરાત’રથ યાત્રા કાયૅક્રમ ની સ્થળ તપાસ

Karnavati 24 News

દુબઈના મશહૂર ઈન્ડિયન આર્ટિસ્ટ શ્રી અકબર સાહેબ દ્વારા તેમના વ્યક્તિત્વ અને તેમણે કરેલા કાર્યોના કેનવાસ અને વોટર ક્લર પેઇન્ટિંગ નો પ્રદર્શન કાર્યક્રમ આર્ટ ગેલેરી સાયન્સ સેન્ટરમાં રાખવામાં આવ્યું