Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ખેડૂતોને કહી આ વાત

પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન ખેડૂતોને લઈને સામે આવ્યુ છે. વર્ચ્યુઅલ કાર્યક્રમ સુરતમાં યોજાયો હતો.

વડાપ્રધાને કહ્યું હતું કે, સુરતમાં દરેક ગ્રામ પંચાયતમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવાના પ્રયાસ થઈ રહ્યો છે તેમને કહ્યું હતું ખેડૂતોની સાથે સાથે સરપંચોની ભૂમિકા પ્રશંસાને પાત્ર છે.
ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના મિશનની પ્રગતિ જોઈને આનંદ થાય છે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. આ વાત પોતાના મનમાં ઉતારી છે. તેનાથી પી.એમ. નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનની અંદર ખુશી વ્યક્ત કરી હતી.
 આ સાથે તેમને કહ્યું હતું કે જે લક્ષને પ્રાપ્ત કરવામાં દેશવાસીઓ સંકલ્પ કરે તો એ પૂર્ણ થઈને જ રહે છે આ કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે.
 ડિજિટલ મીડિયાની અસાધારણ સફળતાથી મોટો બદલાવ પણ જોવા મળી રહ્યો છે. સુરતમાં 41 હજારથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં કંઈ થાય જ નહીં તેવું લોકો માની બેઠા હતા.
પ્રાકૃતિક ખેતી સાથે ખેડૂતો ગહન રીતે જોડાઈ રહ્યા છે જેટલી ખેતી સમૃદ્ધ હશે તેટલો દેશ આગળ વધશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમની અંદર જણાવ્યું હતું. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની પ્રશંસા કરી હતી અને પ્રાકૃતિક ખેતીને લઈ જન આંદોલન વ્યાપકરૂપી સફળ થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે દરેક આપણા ખેડૂત ભાઈઓને આ કામ બદલ શુભેચ્છાઓ પાઠવું છું જે કિસાન મિત્રોએ સરપંચ સાથીઓને આજે સન્માનિત કરવામાં આવ્યા તેમને પણ હું હાર્દિક શુભકામના આપું છું.
 ખાસ કરીને ખેડૂતોની સાથે સાથે આ સરપંચોની ભૂમિકા પણ વખાણમાં જેવી છે એમણે આ બીડું ઉઠાવી છે અને એટલા માટે જ આ બધા સરપંચ ભાઈઓ, બહેનો પણ એટલા જ અભિનંદનના આભારી છે.

संबंधित पोस्ट

ભારતવંશી બાળરોગ નિષ્ણાત ડૉ. અંગરાજ ખિલ્લનને ઑસ્ટ્રેલિયન ઑફ ધ યરનો પુરસ્કાર કરાયો એનાયત

Admin

Govt hikes excise duty on petrol and diesel by Rs 3 per litre

Admin

હિન્દીનો વધતો પ્રભાવ: વિશ્વમાં ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા હિન્દીનું પ્રભુત્વ ઝડપથી વધ્યું છે

Karnavati 24 News

અમદાવાદમાં 29મી સપ્ટેમ્બરથી નેશનલ ગેમ્સ શરૂ થશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે

Karnavati 24 News

1.3 કિમી પહોળો એસ્ટરોઇડ પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે

Karnavati 24 News

નાઈજીરિયામાં પોલીસને મોટી સફળતા મળી છે, લગભગ 100 અપહરણ લોકોને બિનશરતી બચાવી

Karnavati 24 News