Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

હાર્દિક પંડ્યાને ભારતીય ટેસ્ટ ટીમમાં તક મળવી જોઇએ, પૂર્વ દિગ્ગજ ખેલાડીનું નિવેદન

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહનું માનવુ છે કે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પણ ઇંગ્લેન્ડ ટેસ્ટ માટે ટીમમાં જગ્યા મળવી જોઇતી હતી. હરભજન અનુસાર શાર્દુલ ઠાકુરે સારૂ કામ કર્યુ છે પરંતુ હાર્દિક પંડ્યાના હોવાથી ટીમને મજબૂતી મળતી કારણ કે તે સારા ફોર્મમાં છે.

આઇપીએલમાં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન સારૂ રહ્યુ હતુ. હાર્દિક પંડ્યાએ આઇપીએલ 2022માં જોરદાર રીતે કેપ્ટન્સી કરતા ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવ્યુ હતુ. હાર્દિક પંડ્યાએ 15 મેચમાં પોતાની ટીમ માટે સૌથી વધારે 487 રન બનાવ્યા હતા. ગત સીઝનમાં તેણે ચાર અડધી સદી પણ ફટકારી હતી. બોલિંગમાં પણ હાર્દિક પંડ્યાએ આઠ વિકેટ ઝડપી હતી અને તેનો ઇકોનોમી રેટ 7.27નો રહ્યો હતો.

તે બાદ હાર્દિક પંડ્યાને આયરલેન્ડ વિરૂદ્ધ 2 ટી-20 મેચની સીરિઝ માટે ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને તેની કેપ્ટન્સીમાં ટીમે ટી-20 સીરિઝમાં શાનદાર રીતે જીત મેળવી હતી.

મહત્વપૂર્ણ છે કે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચમી ટેસ્ટ મેચ માટે હાર્દિક પંડ્યાનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. હાર્દિક પંડ્યા ઇંગ્લેન્ડ સામે ટી-20 અને વન ડેમાં રમતો જોવા મળશે.

संबंधित पोस्ट

“BCCIમાં દરેકે કોહલીને T20 કેપ્ટન તરીકે રહેવા કહ્યું છે.”

Karnavati 24 News

IND Vs BAN: ભારતીય વન-ડે સીરિઝ અગાઉ મોટો ઝટકો, શમી બાદ ઋષભ પંત વન-ડે સીરિઝમાં બહાર

Admin

અમદાવાદમાં 29મી સપ્ટેમ્બરથી નેશનલ ગેમ્સ શરૂ થશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે

Karnavati 24 News

T20 વર્લ્ડકપમાં બુમરાહનું સ્થાન લેવા માટે ત્રણ બોલર વચ્ચે રેસ, જાણો કોણ મારશે બાજી

રંગીલું રાજકોટ ક્રિકેટમય બનશે: આવતીકાલે બંને ટીમના ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે

Karnavati 24 News

IND Vs SL: ત્રણ મહિના બાદ ભારતીય ટીમમાં વાપસી કરશે જસપ્રીત બુમરાહ, શ્રીલંકા સામે વન-ડે સીરિઝ રમશે

Admin