Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ આખરે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી દીધી

હારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ આખરે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ મહારાષ્ટ્રની રાજકીય ઉથલ-પાથલે હવે નવો વળાંક લીધો છે.

ભાજપ અને અપક્ષના કેટલાક ધારાસભ્યોએ ગઈકાલે ફ્લોર ટેસ્ની માગણી ઉઠાવી હતી.

ત્યારે એકનાથ શિંદેની આગેવાનીમાં શિવસેનાના બળવાખોરો આજે ગુવાહાટીથી ગોવા જશે તેવા અહેવાલો મળી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેને ગુરૂવારના રોજ ફ્લોર ટેસ્ટ દ્વારા પોતાની બહુમતી સાબિત કરવા આદેશ આપવામાં આવ્યો છે
બળવાખોરો તાજ રિસોર્ટ એન્ડ કન્વેન્શન સેન્ટરમાં રોકાય તેવી શક્યતા છે અને તે માટે 71 રૂમ બુક કરી દેવામાં આવ્યા છે. સાંજે 4:30 કલાકે પ્રાઈવેટ જેટ ગોવામાં લેન્ડ થાય તેવી શક્યતા છે. ગુવાહાટીની રેડિસન બ્લુ હોટેલમાં એક સપ્તાહના રોકાણ બાદ ધારાસભ્યોને લેવા માટે બસો આવી પહોંચી છે અને સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આવતીકાલે વિધાનસભાના વિશેષ સત્રમાં ફ્લોર ટેસ્ટ દ્વારા પોતાની બહુમતી સાબિત કરવાના છે. આ કારણે મુંબઈથી નજીક હોવાના કારણે તથા ભાજપની સત્તા હોવાના કારણે શિવસેનાના બળવાખોર નેતાઓ માટે ગોવા એક અનુકૂળ સ્થળ બની શકે છે.

संबंधित पोस्ट

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણી મામલે હાઈકોર્ટમાં વધુ એક મુદત પડી

Karnavati 24 News

બીજા તબક્કાની 93 બેઠકો માટે પ્રચાર આજથી બંધ. . . .

Admin

યોગી આદિત્યનાથ ફરીથી યુપીના સીએમ બનશે કે નહીં? શું કહે છે તેમની કુંડળી?

Karnavati 24 News

ભરૂચ જિલ્લા કોંગ્રેસે નરેન્દ્ર મોદી અને ભુપેન્દ્ર પટેલ ઉપર સહી ફેંકી, 8 કાર્યકરોની અટકાયત

Karnavati 24 News

અમદાવાદમાં પીએમના ભવ્ય સ્વાગતની તડામાર તૈયારીઓ, કટ આઉટ અને પોસ્ટરો લાગ્યા

ચૂંટણી પરિણામો વચ્ચે સંસદ ભવનમાં બેઠકની રાહ જોતા રહ્યા કોંગ્રેસના સાંસદો, જન્મદિવસ ઉજવવા રાજસ્થાનના રિસોર્ટ ચાલ્યા ગયા સોનિયા ગાંધી

Admin